SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ર * પ 4 ) IJRS નામ : યાત્રા 6 ડી. Ni) આ જે પર્વને દિવસ લેવાથી રૈવતગિરિના માર્ગમાં લે કેની ઠઠ જામી હતી. વિવિધ દેશના અને વિવિધ ધર્મના યાત્રાળુઓનાં વૃંદ પોતપોતાના ધર્મને જય પર જ ધ્વનિ કરતાં ગિરિવરની તળેટી પર એકત્ર થયા હતા. સર્વના મુખમાંથી જાત જાતના રાગમાં સ્તવનેના ધ્વનિ નીકળતા હતા. આ સમયે મહાત્મા પોતાના પરિવાર સાથે એ પવિત્ર તીર્થની ભેટ લેવા નીકળ્યા હતા. જ્યારે મહાત્માએ ગિરિ ઉપર ચડવાને આરભ કર્યો, તે વખતે કેટલાએક તેમના ભાવિક ભક્તએ ઊંચા સ્વરથી નીચેના પદ્ય ઊચ્ચાર્યા હતા. नमोऽस्तु नेमये नम्रशचीशक्राय तायिने / * * વિંચાતે વિશ્વ યોનિને શા જેમની પાસે ઈંદ્રાણી અને ઈંદ્ર નમ્ર થયેલા છે અને જેઓ જગત્ ત્રાતા થઈ હરિવંશમાં ઉત્પન્ન થયેલા છે તે મહાત્મા પૂજ્યયેગી બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનને નમસ્કાર ." આ પદ્યને પ્રતિધ્વનિ પડતાં જાણે તે ગિરિરાજ પણ પિતાની ભેટ લેવા આવેલા મહાત્માની સ્તુતિ કરતે હોય, તેમ દેખાતું હતું. પર્વત ઉપર ચડી છેડે આગળ વધ્યા, ત્યાં કેટલાએક ભકતોએ નીચેના શબ્દોથી તે મહાત્માની પ્રશંસા કરી હતી. મહાત્મા, આપ આ જગતના જીવોના ઉદ્ધાર કરનારા અને તેમને મોક્ષમાર્ગના દશક છે. આપના જેવા સૂરિવરથી વીરધર્મની પ્રભાવના વધતી જાય છે. આપની ઉપદેશ વાણું ભવ્ય પ્રાણીઓને તેમના મનુષ્ય જીવનમાં આલંબનરૂપ છે, અને આપના વિહારથી ભારતવર્ષના ક્ષેત્રે ધર્મવડે પલ્લવિત થાય છે.” આજે મહાત્મા ભગવાન નેમિનાથ પ્રભુને વંદના કરી સહસ્ત્રા
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy