SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧ર) આત્મોન્નતિ. ( 8 અનર્થ દંડ વિરમણ-વગર પ્રજને દંડાવું, કર્મથી બંધિત થવું તે અનર્થ દંડ કહેવાય છે. 1 આરૌદ્રધ્યાન, 2 પાપપદેશ, 3 હિંસક ઉપકરણે માગ્યા આપવા, અને 4 પ્રમાદાચરણ-એમ અને નર્થ દંડ ચાર પ્રકારે છે. 1 વગર પ્રજને બીજા જેને દુઃખ આપવાના કે મારવાના વિચાર કર્યા કરવા, તે આર્ત-શદ્ર ધ્યાન કહેવાય છે જેમકે “હું મારા વૈરીને ઘાત કરૂં.” “હું રાજા થાઉં તે ગામને પાયમાલ કરૂં, અગ્નિથી લાહ્ય કરૂં.” અમુક સ્ત્રી મળે તે ઠીક” “જે હું વિદ્યાધર થાઉ તે આકાશમાં ઉડવાની મજા પડે” ઈત્યાદિ. 2 પાપેપદેશ જ્યાં પિતાની દાક્ષિણ્યતા ન પહોંચે તેવાં મનુ બેને પાપ કરવાને ઉપદેશ આપવો. જેમકે, “ખેતર ખેડે, બળદનું દમન કરે; ઘડાને ખસી કરે, ઘર બનાવે, બાપનું વૈર ." વગેરે. મનુષ્ય શાંતિમાર્ગને પથિક છતાં ગૃહસ્થાશ્રમમાં રહેલું હોવાથી તેને કુટુંબ વિષયિક ઉપદેશ આપવો પડે છે, તે પણ જેમ બને તેમ એ છે કર જોઈએ. તે પછી પરને પાપ પ્રવૃત્તિમાં પ્રેરવાને તેને અધિકાર નથી. 3 હિંસક ઉપકરણો. જેનાથી જીવોની હિંસા થાય તેવા હથીચાર વગેરે પૂર્વની માફક જ્યાં દક્ષિણ્યતા ન પહોંચે ત્યાં માગ્યા ન આપવા. 4 પ્રમાદાચરણ–પરમ શાંતિ માર્ગના પથિકે વિકાર ઉત્પન્ન થાય તેવાં ગાયન સાંભળવા નહીં. નાચ કે નાટક જોવા નહીં, કામશાસ્ત્રમાં આસક્તિ ન રાખવી, જુગાર ખેલે નહી, જલકીડા કરવી નહીં, હાથી, પાડા, ગેંડા વગેરે જાનવરના યુદ્ધ કરાવવા નહીં, તેમ જેવા પણ નહીં. શત્રુના પુત્રનું વૈર ન લેવું, સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, તથા ભજન કથા વગેરે કરવી નહી, તેમજ પ્રમાદા ચરણને ત્યાગ કરે. 9 સામાયિક વ્રત-રાગદ્વેષ વિનાની શાંત સ્થિતિમાં બેઘવ એટલે ઓછામાં ઓછી અડતાળીશ મીનીટ સુધી એક આસને રહેવું. તેટલા વખતમાં આત્મધ્યાન, પરમાત્મધ્યાન, આત્મનિરીક્ષણ, અને પરમેષ્ટી મહામંત્ર જાપ કરો. તેમજ મહાત્મા પુરૂષના ઉત્તમ
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy