SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ( 208) આત્મન્નિતિ. પ્રસંગમાં તેમની કેવી પ્રવૃત્તિ હોય કે કેવી ઉપગની જાગૃતિ હેય તે વિચારી તેવા તેવા પ્રસંગમાં તદાકાર થવું. આજ મુનિપદનું આ રાધના અને આજ મુનિ પદનું ધ્યાન કહેવાય છે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જ્યારે મુનિપદને લાયકના સર્વ ગુણે પિતામાં થયા છે, એમ પોતાનું હૃદય કબુલ કરે ત્યારે તે પદથી ઉચ્ચપદ જે ઉપાધ્યાય પદ તેનું આલંબન લઈ ધ્યાન કરવું. આ ધ્યાનમાં પણ મુનિપદની માફકજ ઉપાધ્યાયના ગુણેનું અનુકરણ કરવું. ઉપાધ્યાયના ગુણે પિતાનામાં દાખલ થયા તેને નિર્ણય થતાં પછી આચાર્યપદનું ધ્યાન કરવું. તેમના છત્રીસ ગુણે સન્મુખ રાખી તે માફક વર્તન કરતાં આચાર્ય હું પોતે છું દ્રવ્યથી નહીં પણ ભાવથી, તેમના સરખા ગુણે ધારણ કરવાથી. આ નિર્ણય પિતાને થતાં પછી અહંતપદનું આરાધન કરવું. અહંતના જેવું વીર્ય, અહંતના જેવું નિશ્ચય ધ્યાન, અહંતના જેવું વર્તન ઢંકામાં કહીએ તે અહંતની માફક સર્વ ક્રિયા કરવી. આ પ્રમાણે કરતાં અહંત સ્વરૂપ થઈ શકાય છે. એ અહંત સ્વરૂપ થતાં છેવટે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન તન્મય, તદ્રુપ બનતાં પરમ શાંતિ મલી ચુકી–પરમ શાંતિ સ્વરૂપ તેિજ થઈ જવાશે. ભદ્ર, પરમ શાંતિ મેળવવાને આ માર્ગ છે. આ માર્ગે પૂર્વે અનેક મનુષ્યએ પરમપદ પ્રાપ્ત કર્યું છે, તેથી પરમપદ યા પરમ શાંતિપદાભિલાષીઓએ આ રસ્તે પિતાનું વીર્ય ફેરવવું જોઈએ. તે રસ્તે ચાલવા પ્રયત્ન કરે જોઈએ. આ રસ્તે ચાલવામાં પિતાનું સામર્થ્ય ન જણાય, વિષયવાસનાની શાંતિ ન થતી હોય, અથવા કુટુંબ નેહ વગેરે બંધનના કારણે છુટી શકતાં ન હોય, તેઓએ દ્વાદશત્રતરૂપ ગૃહસ્થ માર્ગ સ્વીકાર જોઈએ. આ માર્ગ પણ નિવૃત્તિને માર્ગ છે, છતાં તે ઘણે સહેલે પણ વિશેષ લંબાણવાળે છે. આ માર્ગમાં આશ્રવના દ્વારે ચેડાં શેઠાં બંધ થાય છે, પણ એ માર્ગમાં રહી આગળ ઉપર નિવૃત્તિને ટુંકે માર્ગ અંગીકાર કરવાના સાહિત્ય એકઠાં કરવા ધારે તે તે કરી શકાય તેમ છે. ઉત્તમ ભજન કરવું, તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તદ્દન ભુખે મરવું તેના કરતાં સામાન્ય ભેજનથી પણ પેટ ભરવું, તે યંગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમશાંતિના ઉત્તમ માર્ગમાં ચાલવાની પિતાની
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy