SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ (94). આત્મોન્નતિ તને મારા ઉતારામાં રાખી મારી પાસે રહેલ અનેક ઔષધથી તારે ઉપચાર કરત. આ પ્રમાણે કહી તે ઘણે પશ્ચાત્તાપ કરતે રૂદન કરવા લાગ્યું.” આ દષ્ટાંત ઉપરથી વિચાર કરવાને છે કે, જે તે શેઠને પિતાના પુત્રનું જ્ઞાન હતા તે તે તેની કેટલી સંભાળ લેત, પણ જ્યાં સુધી તે પુત્રની ઉપર તેની મમતા ન હતી, ત્યાં સુધી તેના હૃદયમાં કાંઈ દુઃખ થયું ન હતું. પરંતુ જ્યારે “આ મારો પુત્ર છે” એવું તેને જ્ઞાન થયું, ત્યારે તેને અત્યંત દુઃખ થયું હતું, તેથી દુઃખ માત્ર મારાપણાનું જ છે. મહાત્માના મુખથી આ દષ્ટાંત સાંભળી શેકચંદ્ર અને સત્યચંદ્ર અતિ આનંદ પામી ગયા. ક્ષણવાર પછી શોધકચંદ્ર પુનઃ પ્રશ્ન કર્યો-“ભગવદ્ ! આપણા શરીરને કોઈ ભાગ કપાઈ જાય, અથવા આપણા શરીરને ટાઢ કે તાપ લાગે, તે વખતે મારાપણું કાઢી નાંખવાથી દુઃખ ન લાગે, એ વાત કેમ સંભવે? તે કૃપા કરી સમજાવે.” મહાત્માએ ઉત્તર આપે ભદ્ર! જ્યારે શરીર અને આત્મા ભિન્ન છે, એવો નિશ્ચય થાય. શરીર તે હું નહિ અને હું શરીરથી ભિન્ન છું. આ આત્માને કર્મરૂપી કાદવ લાગે છે, તેથી હું જન્મ, મરણ, આધિ, વ્યાધિ, અને ઉપાધિ વગેરે અનેક પ્રકારનાં દુઃખો ભેગવું છું, તે શરીરને લીધે જ છે. આવું દુખ રૂપ શરીર ફરી વાર ધારણ કરવું ન પડે એ હું નિર્મલ આત્મા ક્યારે થાઉં?” આ પ્રમાણે વિચાર કરી જ્યારે શરીર ઉપરની મમતાને ત્યાગ થાય, એવી ત્યાગ દશા જેના અંતરમાં અહનિશ થયા કરે, અર્થાત્ દેહભાવ છૂટી આત્મભાવ સંપૂર્ણ પ્રગટ થાય, ત્યારે તે પુરૂષના શરીરના કટકે કડક કરે તે પણ તેનું મન જરા પણ બદલાતું નથી, તેના હૃદયમાં જરા પણ દુઃખ થતું નથી. આવા હજારો દાખલાઓ આગમમાં દર્શાવેલા છે. તેઓમાં કૃષ્ણ વાસુદેવના ભાઈ ગજસુકુમાળને દાખલે વિશેષ પ્રખ્યાત છે. ગજસુકુમાળ વિવાહ કર્યા પછી તેજ રાત્રે ચારિત્ર - ગીકાર કરી મશાનમાં જઈ કાત્સર્ગ ધ્યાને રહ્યા હતા. આ ખબર તેના સસરા સેમલ બ્રાહ્મણને પડતાં જ તે કે ધાતુર બની શમશાન ભૂમિમાં આવ્યા હતા. તેણે રેષના આવેશથી પિતાના જમાઈ ગજ અને લાગે છે પ લાગે, તે જ કપાઈ જ
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy