SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા છે , ( 7 ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સર્વજ્ઞ બને છે. તે શરીરનું આયુષ્ય બાકી હોય ત્યાં સુધી તેવા સર્વજ્ઞ થવાની ક્રિયા સર્વ જીવોને ઉપકાર અર્થે બતાવે છે અને આયુષ્ય પૂર્ણ થતાં તે મોક્ષે જાય છે. ત્યાં તે સિદ્ધ પરમાત્મા તિરૂપ, આનંદમય બની બેસે છે. પછી તેમને જન્મમરણ કરવાનું રહેતું જ નથી. તેજ પરમાત્મા કહેવાય છે. દૃષ્ટાંત 3 જું. જુદી જુદી જગ્યાના પાણી જુદા જુદા વાસણમાં લાવીએ. એકમાં સમુદ્રનું, એકમાં સરિતાનું, એકમાં તળાવનું, એકમાં ખારા કુવાનું, એકમાં મીઠા કુવાનું, એકમાં મેળા કુવાનું અને એકમાં ગટરનું. આ બધા પાણીના સ્વાદ અને રંગ જુદા છે, ત્યારે શું તે પાણે જુદાં છે? તત્ત્વથી વિચાર કરશે તે સમજાશે કે, બધા પાણીમાં શુદ્ધ ચેમ્બુ પાણી એક સરખું જ રહેલું છે. શુદ્ધ અને ચોખ્ખું પાણી જુદી જુદી જમીનમાં રહેવાથી, જમીનમાંના જુદા જુદા પદાર્થો મળવાથી તેના જુદા જુદા રંગ તથા સ્વાદ થવાથી તે જુદા જુદા કહેવાય છે. જે તે સઘળા પાણુને ઉકાળી, તેમાંની વરાળ કરી તેનું પાણી બનાવવામાં આવે તે તે પાણુ શુદ્ધ, સરખા રંગવાળું અને વરસાદના પાણી જેવું સ્વાદિષ્ટ બની જાય છે, માટે સઘળા પાણીમાં શુદ્ધ પાણી ત્વ રહેલું છે, તફાવત માત્ર જુદા જુદા પદાર્થો મળવાને છે. તેવી જ રીતે બધા મનુષ્ય, પશુઓ, પક્ષીઓ અને સઘળી જાતના જેમાં જુદા જુદા સ્વભાવના જુદા જુદા કર્મોરૂપ જડ પદાર્થો મળેલા છે, તેથી સઘળા જીવોના સ્વભાવ, રૂપ, રંગ અને જાતિ જુદી જુદી કહેવાય છે, પણ તે સઘળામાં શુદ્ધ પરમાત્મારૂપ એક સરખે આત્મા રહેલ છે, તેને લાગેલા કર્મોને તપરૂપ અગ્નિથી બાળીને જુદો પાડી પરમાત્મારૂપ નિર્મલ આત્મા કરી શકાય છે, માટે આપણે સઘળાં છે. પરમાત્મારૂપ છીએ. જેમ વરાળની ગતિ ઉંચે આકાશમાં જવાની છે, તેમ શુદ્ધ આત્માન પણ ગતિ ઉચે–આકાશમાં જવાની છે, તેથી કાકાશને અંતે સિદ્ધાત્મા સ્થિર થઈ રહે છે. આ દષ્ટાંતમાં માત્ર એટલે જ તફાવત છે કે જેમ લેકિકમાં કહેવામાં
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy