SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મન્નિતિ------- - ભદ્ર શેધકચંદ્ર! તેથી માનવું જોઈએ કે, જીવ અને કર્મને સંબંધ પ્રવાહથી અનાદિ છે; એ વાત યુક્તિથી સિદ્ધ થાય છે. તે વિષે ઘણાં દષ્ટાંતે પ્રસિદ્ધ છે. જેમ ડાંગરમાં ચોખા અને છેડાને સંબંધ ક્યારે થયે? તેની આદિ નથી. જ્યાં સુધી ચેખાની સાથે છાલને જરા પણ સંબંધ હોય ત્યાં સુધી ખાને કુટાવું પડે છે. જ્યારે ચોખા શુદ્ધ થાય ત્યારે તે કુટાવાનું બંધ થાય છે. વળી જમીનમાં વાવેલા ચિખા શુદ્ધ હોય તે ઉગતા નથી, જ્યારે તેની સાથે છેડાં હોય ત્યારે તે ઉગે છે. એવી રીતે આત્માની સાથે જડકર્મો લાગેલા રહે છે, જ્યાં સુધી તે કર્મ લાગેલા હોય છે, ત્યાં સુધી તેને કુટાવું પડે છે, તેવી રીતે કર્મોના ચેગથી જીવને જન્મ મરણ થયા કરે છે. જ્યારે જીવ ચેખાના જે નિર્મલ–શુદ્ધ થાય છે, ત્યારે તેને ફરી વાર જન્મ લેવાનું કે કુટાવાનું રહેતું નથી. દૃષ્ટાંત 2 . જેમ સાકર અને શેરડીને અનાદિ સંબંધ છે. સાકરથી શેરી થતી નથી પણ શેરડીથી સાકર બને છે. તે શેરી ક્યારે થઈ તેની આદિ કહી શકાશે નહિ. શેરડીને અનાદિ જ માનવી પડશે. કારણ શેરી હોય તે જ નવી શેરડી ઉત્પન્ન થાય છે. શેરડની જેટલી ગાંઠ છે, તેટલા નવા રેપા થઈ શકે છે, એટલે શેરડી છે, ત્યાં સુધી ફરી ઉગવાની તેનામાં શક્તિ રહેલી છે. તેની સાકર થયા પછી તેને ન જન્મ ધારણ કરે પડતું નથી. શેરીની સાકર કરવા માટે શેરડી ઉપર ઘણાં સંસ્કાર કરવામાં આવે છે. તેને પીલીને રસ કાઢી, તેને કડામાં તપાવી તેને મેલ દૂર કરી, તેની ચાસણી બનાવી તેને માટીના વાસણમાં ભરી જમીનમાં ખાડે કરી આસપાસ રાખ નાંખી છેડા દિવસ દાટી મૂકવામાં આવે છે અને તેની સાકર બને છે. આ પ્રમાણે સાકર બન્યા પછી તેને ફરી વાર ઉપર કહેલા સંસ્કાર કરવા પડતા નથી. તેવી રીતે પરમાત્મા સાકરના જેવા શુદ્ધ છે. જેમ શેરડીમાંથી સાકર બનાવતાં અનેક જાતના મેલે અનુક્રમે દૂર થઈ જવાથી તે શુદ્ધરૂપ બને છે, તેવી રીતે આત્મામાંથી જકર્મ રૂપ મેલ જેમજેમ એ છે થતું જાય છે, તેમ તેમ તે આત્મા રાજા, બળદેવ, વાસુદેવ, ચકવર્તી અને દેવ થઈ છેવટે મનુષ્યરૂપ થઈ સર્વથા કર્મને ક્ષય કરી ક
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy