________________
परामर्श::
૨૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત અનુસરવી. “કુણનું સમવાયિકારણ?”ઈમ - આકાંક્ષા હોઈ તો “કુણનું દ્રવ્ય ?” એ આકાંક્ષા - કિમ ન હોઈ ?
“-પર્યાયવત્ દ્રવ્યન” (સ., સૂ.૩૭) તત્વાર્થે 1 એ જિનવાણી *= શ્રીવીતરાગની વાણી* રંગઈ = વિશ્વાસઈ મનમાંહિ ધરિઈ. ર/૧
• દ્રવ્યાનુયોરીમ: •
શાલા - ૨ गुण-पर्यायभाग यत्तु ह्येकरूपं सदैव वै। तद् द्रव्यं निजजात्योक्तं भेदोऽस्ति यस्य नाऽन्तरा।।२/१।। मधुरी जिनवाणी हि मुदा मनसि धीयताम् ।। ध्रुवपदम्।।
• અધ્યાત્મ અનુયોગ «
9 દ્રવ્યલક્ષણ વિચારણા ક. શ્લોકાર્થ :- જે ગુણ-પર્યાયનું ભાજન = આશ્રય હોય તથા પોતાની જાતિથી સદેવ એકસ્વરૂપ જ હોય તે દ્રવ્ય કહેવાયેલ છે કે જેનો વચલી અવસ્થામાં ભેદ નથી. (૨/૧) આવી મધુરી જિનવાણીને પ્રમોદથી મનમાં ધારણ કરો. (ધ્રુવપદ)
) મલિન પરિણમનને અટકાવો ) આધ્યાત્મિક ઉપનય - ગુણ-પર્યાયનો અવિચલ આધાર દ્રવ્ય છે. જ્ઞાનાદિગુણનો અને મનુષ્યાદિ કો પર્યાયનો ધ્રુવ આધાર આત્મદ્રવ્ય છે. કેવલજ્ઞાનાદિ ગુણનો અને સિદ્ધત્વાદિ પર્યાયનો સ્થિર આશ્રય તો
શુદ્ધ આત્મદ્રવ્ય છે. આ હકીકતને લક્ષગત કરીને પોતાના કેવલજ્ઞાનાદિ ગુણને અને સિદ્ધત્વાદિ પર્યાયને
અનુભવવા સતત તલસાટ સાધકમાં જાગે તો અજ્ઞાનાદિરૂપે પરિણમતા વિવિધ ગુણનો પ્રવાહ અને . સંસારીપણે પરિણમતા પર્યાયની ધારા અલિત થાય, શુદ્ધ આત્મદ્રવ્યમાંથી પ્રગટતો પૂર્ણ ગુણવૈભવ અને
પરિશુદ્ધ પર્યાય પરિવાર સાદિ-અનંત કાળ સુધી અનુભવાય. આવું સૌભાગ્ય વહેલી તકે પ્રગટાવવા માટે ત્રણ કાળમાં ચૈતન્યજાતિથી અવિચલિતસ્વરૂપવાળા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર નિરંતર રુચિપૂર્વક પોતાની અંતરંગ દષ્ટિને સ્થાપિત કરવી.
પુણ્યોદયમાં આસક્ત ન બનો પુણ્યના ઉદયથી મળનારા રેડિઓ, ટેપરેકોર્ડર, માઈક, કેમેરો, ફિલ્મ, ટેલીવિઝન, ટેલીફોન, મોબાઈલ ફોન, કેલક્યુલેટર, કોમ્યુટર, ફેક્સ, ઈ-મેઈલ, બ્યુટીપાર્લર, ફાઈવ સ્ટાર હોટલ, એરકન્ડીશનર, વૉકમેન, માઈક્રોવેવ-ઓવન, મારુતિ-મર્સીડીઝ વગેરે મોટર, એરોપ્લેન વગેરે ભોગ-ઉપભોગના સાધનોમાં આસક્તિ ન કરવી.
*...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે. * લા.(૨)માં “મનમાંહઈ ધરિયાઈ પાઠ.