________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૫૫ : “અમૃત જ્યોતિ - જૂદા પ્રકારના પરક્ષેત્રમાં સ્થિત અર્થોને છોડી દીએ છે, એટલે અર્થો સાથે ચિઆકારોને પણ વધી નાંખતો સતો “તુચ્છ' - નિઃસાર - ખાલીખમ (Empty) થઈ તે પ્રણાશ - સર્વાનાશ પામે છે, પણ સ્યાદ્વાદી “સ્વ ધામમાં. - સ્વક્ષેત્રમાં “વસતો' - સ્થિતિરૂપ નિવાસ કરતો જ્ઞાની તો પારક્ષેત્રમાં હું છું નહિ એમ પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા - નહિ હોવાપણું જાણે છે, એટલે અર્થો - પદાર્થો તેણે ત્યજી દીધેલા છે. છતાં પરઅર્થોમાંથી આકારોને તો તે જ્ઞાનશક્તિથી ખેંચે છે - ચિદાકારો તો આત્મામાં પ્રતિબિંબ છે, એટલે તે “તુચ્છતા” - નિઃસારતા - ખાલીખમપણું અનુભવતો નથી.
૮૩૧