________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્તનો સારસંદોહ સંદબ્ધ કરતા આ સમયસાર કળશમાં (૧૨) ક્ષણિકવાદીનો માર્મિક ઉપહાસ કરે છે -
शार्दूलविक्रीडित आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपयांधकैः, कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः ।. चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रेरितैरात्माव्युज्झित एव हारवदहो निस्सूत्रमुक्तेक्षिभिः ॥२०८॥ આત્માને પરિશુદ્ધ ઈચ્છત અતિ વ્યાપ્તિ ગ્રહી અંધકે, કાલોપાધિબલે અશુદ્ધિ અધિકા પૃથકે ગણી ત્યાંય રે ! પ્રેરાઈ જુસૂત્ર શુદ્ધથી ક્ષશિક ચૈતન્ય કલ્પી પરે, આત્મા હાર શું છાંડિયો નિરખતાં નિઃસૂત્ર મોતી અરે ! ૨૦૮
- અમૃત પદ - ૨૦૮
જ્ઞાનને ઉપાસીએ” – એ રાગ આત્માને શોધતાં આત્મા જ ખોયો, અંધે મારગ ના જોયો,... ધ્રુવ પદ. ૧ આત્મા પરિશુદ્ધ ઈચ્છવા રે જાતાં, આત્મા સમૂળગો ખોયો ! બેસવાની ડાળને કાપતા મૂરખનો, જોટો જગતમાં ન જોયો !. આત્માને શોધતાં. ૨ પર્યાયને દ્રવ્ય માની લઈ મૂઢડે, પર્યાય દ્રવ્યને લેખિયું ! અતિવ્યાપ્તિ ગ્રહી અતિતાર્કિકડે ! તત્ત્વ સમ્યક ના દેખિયું.... આત્માને શોધતાં. ૩ એક પર્યાય જો અન્ય પર્યાયથી, અન્વય સંબંધ બાંધશે, રખે તો બલથી કાળ ઉપાધિના, અશુદ્ધિ અધિક ત્યાં સાંધશે !... આત્માને શોધતાં. ૪ કાળભેદે એમ દ્રવ્ય અન્વયમાં, માની લઈ જ અશુદ્ધિ ! દ્રવ્યવંશ લોપતાં આત્માના વંશને, લોપતા કોઈ અબુદ્ધિ !... આત્માને શોધતાં. ૫ વર્તમાન સમયવર્તી પર્યાયને, માત્ર અમે તો માનીએ, ક્ષણવર્તી તેથી વસ્તુ ક્ષણિક છે, એ જ પરમાર્થસતુ જાણીએ... આત્માને શોધતાં. ૬ શુદ્ધ ઋજુસૂત્ર નયથી પ્રેરાઈને, એમ ક્ષણિક તે વાદીઓ, - ક્ષણિક એકાંતથી કલ્પી ચૈતન્યને, જલ્પ અબુદ્ધ દુર્વાદીઓ... આત્માને શોધતાં. ૭ ચૈતન્યને એમ ક્ષણિક પ્રકલ્પતા, આત્મા જ કોઈએ છોડિયો ! નિઃસૂત્ર મુક્તાફલને જ દેખતાં, હાર જ્યમ અબુદ્ધે છડિયો !.. આત્માને શોધતાં. ૮ નાશ નિરન્વય માની નિરાતમા, વાદી ન આત્મા જ માનતા ! મૂળને ઉચ્છેદી શાખાને શોધતાં, આકાશ પુષ્પ તે પામતા !... આત્માને શોધતાં. ૯ સૂત્ર વિહોણા મોતી વિશૃંખલા, છૂટા છૂટા જ જે દેખતા, તેહ ઉખલ મુક્તા ફલોનો, હાર અખંડ કેમ લેખતા ?.. આત્માને શોધતાં. ૧૦ ચૈતન્ય અન્વય - સૂત્ર વિહોણા, પર્યાય મોતી જ પેખતા, નિરાત્મવાદી તે ચૈતન્ય-મોતીનો, હાર આત્મા ક્યમ દેખતા ?... આત્માને શોધતા. ૧૧
૬૪૦