SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અતિ અતિ દુષ્કર ‘મોક્ષોન્મુખ’ - મોક્ષથી ઉલટા મુખવાળા મોક્ષથી પરાફુખ ‘કર્મોથી' - મન – વચન કાયાના અનેક પ્રકારના ક્રિયાકાંડ રૂપ કર્મોથી ‘ક્લેશ કરો’ - કષ્ટ કરો, મોટી જહેમત ઉઠાવો ! क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरं અને બીજાઓ ભલે મહાવ્રત - તપોભારથી ચિરકાળ ભગ્ન થયેલાઓ ક્લેશ કરો !' ‘ચિરકાળ’ ઘણો લાંબો વખત સુધી મહાવ્રતોના અને તપના ‘ભારથી' - વજનથી ‘ભગ્ન થયેલાઓ - ભાંગી ગયેલાઓ - બેવડ વળી ગયેલાઓ ક્લેશ કરો - કષ્ટ કરો, મોટી જહેમત ઉઠાવો ! પણ ‘સાક્ષાત્ મોક્ષ તું નિરામયપર્વ સંવેદ્યમાન સ્વયં ‘સાક્ષાત્ મોક્ષ’ - પ્રત્યક્ષ પ્રગટ મોક્ષ એવું ‘આ નિરામય પદ’ નિરોગી પદ સ્વયં - આપો આપ સંવેદાઈ રહેલું જ્ઞાન જ્ઞાનગુણ વિના તેઓ ‘કેમે કરીને' - કોઈ પણ પ્રકારે મથી મથીને પણ પ્રાપ્ત કરવાને ‘ક્ષમ' - સમર્થ થતા નથી - ‘જ્ઞાનં જ્ઞાનમુળ વિના થપિ પ્રાછું ક્ષમંતે ન હિ ।' આમ ભલે ગમે તેટલી કષ્ટ ક્રિયા કરો કે ચિરકાળ ગમે તેટલા મહાવ્રત - તપભાર ઉઠાવો, પણ જ્ઞાન વિના કોઈ પણ પ્રકારે મથી મથીને મરી જાય તો પણ સાક્ષાત્ મોક્ષ રૂપ આ નિરામય જ્ઞાનપદ પામે નહિ. એવા પ્રકારે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ પરમ પરમાર્થ ગંભીર ઉત્થાનિકા કળશ પરમર્ષિ પરમપુરુષ શાર્દૂલ અમૃતચંદ્રજીએ શાર્દૂલવિક્રીડિતની વીરગર્જનાથી લલકાર્યો છે. - - - ૨૬૪ - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy