________________
હવે આસ્રવ પ્રવેશ કરે છે -
આ ‘સમયસાર’ અધ્યાત્મ નાટકમાં ત્રીજા અંકમાં એકપણે સિદ્ધ કરાયેલ પુણ્ય-પાપ પાત્રની વિદાય થયા પછી અત્રે ચોથા અંકમાં ‘આસ્રવ’ નામક પાત્ર પ્રવેશ કરે છે અને તેનો અદ્ભુત નાટકીય રીતિથી (grand_dramatic style) પ્રવેશ કરાવતાં મહાકવીશ્વર અમૃતચંદ્રજી તાદેશ્ય શબ્દચિત્ર આલેખતું સમયસાર કળશ કાવ્ય (૧) લલકારી આ અંકની મંગલ ઉદ્ઘાટન ક્રિયા કરે છે -
अथ प्रविशत्यानवः
સમયસાર : આત્મખ્યાતિ
|| ઞથ ઞાસવ ગધારઃ ॥૪॥
સમયસાર વ્યાખ્યા ‘આત્મખ્યાતિ’માં આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંક
-
營
विलंब
अथ महामदनिर्भरमंथरं, समररंगपरागतमास्रवं ।
अयमुदारगभीरमहोदयो, जयति दुर्जयबोधधनुर्धरः ॥११३॥*
અબ મહામદ નિર્ભર મંથરો, સમર રંગ ભૂ આગત આસ્રવો, જીતત દુર્જય બોધ ધનુર્ધરો, અતિ ઉદાર ગભીર મહોદયો. ૧૧૩
અમૃત પદ-૧૧૩
બોધ ધનુર્ધર જીતે, દુર્જય બોધ ધનુર્ધર જીતે,
રણ રંગભૂમાં આસવયોદ્ધો, બોધ ધનુર્ધર જીતે... બોધ ધનુર્ધર જીતે. ૧ મદભર નિર્ભર મંથર પગલે, ગજેંદ્ર શું મદમાતો,
ડોલત ડોલત આસવ આવે, રણરસથી છલકાતો... બોધ ધનુર્ધર. ૨ મૂછે તાલ દેતો સહુ જગને, ગર્વ થકી પડકારે,
માઈપૂત આવો સામે, તૃણ શું જગ તુચ્છકારે... બોધ ધનુર્ધર. ૩ તસ પડકાર ઝીલીને સંવર, યોદ્ધો આવે સામો,
બોધ ધનુષ ટંકાર કરતો, ગર્જાવે રણધામો... બોધ ધનુર્ધર. ૪ સાગર પેટ ન પાણી હાલે, નખશિખ આસ્રવ ભાળે,
મચ્છર શું ચપટીમાં ચોળે, રણરંગે રગદોળે... બોધ ધનુર્ધર. ૫
ભગવાન અમૃત આત્મ જ્યોતિના, શાન કિરણના બાણે,
આસ્રવ યોદ્ધાને રણ જીતી, અનુભવ અમૃત જાણે... બોધ ધનુર્ધર. ૬
અર્થ - હવે મહામદથી નિર્ભર મંદ ગતિવાળા (મંથર) એવા, રણસંગ્રામ રૂપ રંગભૂમિમાં આવી
હોંચેલા આસ્રવને આ ઉદાર - ગભીર મહોદય દુર્જય બોધ-ધનુર્ધર (જ્ઞાન-બાણાવળી) જીતે છે.
જે તે જગવાસી જીવ થાવર જંગમ રૂપ, તે તે નિજ બસ કરિ રાખે બલ તોરિ ૐ,
મહા અભિમાની ઐસૌ આસવ અગાધ જોધા, રોપિ રન-થંભ ઠાૌ ભૌ મૂઢ મોરિ ૐ,
આયૌ તિહિ થાનક અચાનક પરમ ધામ, ગ્યાન નામ સુભટ સવાૌ બલ ફોરિ ૐ,
આસ્રવ પછારી રન-થંભ તારિ ડારયૌ તાહિ, નિરખિ બનારસી નમત કર જોરિ ૐ.
es
· શ્રી બના.કૃત સ.સા. આસવ અધિકાર, ૨