________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૨૧ રાગ જન્મમાં અન્ય દ્રવ્યનો, દોષ મૂઢ જે કાઢે, વસ્તુસ્થિતિ અશાન કુશસ્ત્ર, જ્ઞાન શિર જ તે વાઢે... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષે. ૧ , અન્ય દ્રવ્યને જ નિમિત્તતા જે, રાગ જન્મમાં માને, શુદ્ધ બોધથી હીન તે સાવ, અંધ બુદ્ધિ જ અજ્ઞાને... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષે ૨ મોહ વાહિની પ્રવાહમહિં રે, અરે ! વહ્યા તે જાતા, મોહવાહિની પાર ઉતરવા, કદીય સમર્થ ન થાતા.. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૩ ઉપાદાન વસ્તુથી જ જન્મે, વસ્તુમાં જ વસ્તુભવો, હો તે સહજ સ્વભાવી ભાવો, વા વિકૃત વિભાવો... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૪ રાગ સ્વભાવ ન આતમ કેરો, તે તો વિભાવ અનેરો, પણ વિકત પણ તેહ વિભાવો, ભાવ જ ચેતન કેરો... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૫ નિમિત્ત માત્ર જ તેમાં કદાપિ, અન્ય દ્રવ્ય ભલે થાવે, તો ય ઉપાદાન આતમ પોતે, તેહ વિભાવ જનમાવે... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૬ જીવ ભાવ જ છે રાગ તે તેથી, પણ તે ઉપાધિક ભાવો, પર નિમિત્તે ઉપજેલો પણ, હોય ન જીવ સ્વભાવો... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૭ અજ્ઞાની આ ભેદ ન જાણે, પર નિમિત્ત જ મુખ્ય માને, ઉપાદાનને ગૌણ ગણીને, પરને પ્રધાન લેખીને.. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષે. ૮ નય ભેદ સાપેક્ષ મૂઢ ન જાણે, પરને જ નિમિત્ત ઠઠાડી, દોષ પોતાનો જ દુષ્ટ ઉડાડી, પરને જ દીએ ઓઢાડી.. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષે. ૯ પરને જ જોખમદાર ગણે તે, રાગદ્વેષ કેમ મૂકે? પોતે ન જોખમદાર ગણે તે, વસ્તુસ્થિતિ તે ન કેમ ચૂકે?... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૧૦ મોહ નદીમાં એમ તણાતાં, મોહમાં ગળકાં ખાતા, મોહ નદીનો પાર બિચારા, કેમ અજ્ઞાની પાતા?.. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૧૧ દૂર કરી ઉપાદાન અશુદ્ધિ, રાગાદિ દુષ્ટ વિભાવો, ભગવાન અમૃત પ્રગટાવો, શુદ્ધ ચિત્ સ્વસ્વભાવે... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૧૨
રથોદ્ધતા - रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयंति ये तु ते । उत्तरंति न हि मोहवाहिनीं, शुद्धबोधविधुरांधबुद्धयः ।।२२१।।
૮૨૮