________________
અમૃત પદ - ૧૮૭.
વીતરાગ જય પામ' - એ રાગ અપરાધી જ બંધાય જગતમાં, અપરાધી જ બંધાય... જગતમાં. ૧ સાપરાધી તે અનંત બંધને, નિરંતર જ બંધાય, નિરપરાધી તે તો બંધનને, સ્પર્શે ના જ કદાય... જગતમાં બંધાય. ૨ રાધ સાધ્ય સાધિત આરાધિત, એક અર્થ જ છે એહ, * અપગત જે ભાવનો રાધ થયો આ, જન અપરાધી તેહ જગતમાં... જગતમાં. ૩ તે અપરાધ જ અપગત જેનો, અહિ તે નિરપરાધ, સતત સાધ્યલક્ષી તે સાધુ, સાધક સાચો સાધ... જગતમાં બંધાય. ૪ શદ્ધ આત્મસિદ્ધિનો જેને, લક્ષ્ય નહિ એ સાર, સાપરાધી તે અનારાધકો, નિશ્ચયથી અવધાર... જગતમાં બંધાય. ૫ શુદ્ધ આત્મસિદ્ધિનો જેને, લક્ષ્ય સતત એ સાર, નિરપરાધી તેને આરાધક, નિશ્ચયથી અવધાર... જગતમાં બંધાય. ૬ પર દ્રવ્ય પરિગ્રહણ કરતો, આત્મ અશુદ્ધ ભજીત, સાપરાધી અનારાધક તે, બંધાય બંધને અનંત... જગતમાં બંધાય. ૭ પરદ્રવ્ય પરિહરણ કરતો, આત્મ શુદ્ધ સેવંત, નિરપરાધી આરાધક તે તો, કદીય ન જ બંધંત... જગતમાં બંધાય. ૮ નિરાપરાધી એવો આરાધક, સાચો સાધુ તે સંત, શુદ્ધોપયોગે રમણ કરતો, સાચો શ્રમણ હવંત... જગતમાં બંધાય. ૯ શુદ્ધ આત્મસેવી વતો, આરાધનાથી આમ, ભગવાન અમૃત્ત અનુભવ પામે, મુનિ તે આત્મારામ... જગતમાં બંધાય. ૧૦
मालिनी अनवरतमनंतै बध्यते सापराधः, स्पृशति निरपराधो बंधनं जातु नैव । नियतमयमशुद्धं स्वं भजन् सापराधो, भवति निरपराधः साधुशुद्धात्मसेवी ॥१८७।।
૮૦૯