________________
અમૃત પદ - ૧૮૪ ચિન્મય ભાવ જ ગ્રાહ્ય એક છે, પર ભાવ હેય જ છેક... (૨). ચિન્મય ભાવ જ. ૧ ચિન્મય એક જ ભાવ ચિનો, ચિન્મય એક જ ભાવ, ભાવો પરા જે તે ખરેખર ! પરો તણા છે ભાવ... ચિન્મય એક જ ભાવ. ૨ ગ્રાહ્ય જ તેથી ચિન્મય ભાવ જ, પર ભાવો હેય છેક, ભગવાન અમૃત કળશે ભાખ્યો, એવો પરમ વિવેક... ચિન્મય એક જ ભાવ. ૩
અમૃત પદ - ૧૮૫ સેવક કિમ અવગણીએ? હો મલ્લિ જિન !' - એ રાગ. સેવો સદા આ સિદ્ધાંત મુમુક્ષુ ! એવો સદા આ સિદ્ધાંત, ચિન્મય જ્યોતિ હું પર હું ના, એ સિદ્ધાંત અબ્રાંત... રે મુમુક્ષુ ! સેવા સદા આ સિદ્ધાંત. ૧ ઉદાત્ત ચિત્ત ચરિત મોક્ષાર્થી, સેવો સિદ્ધાંત જ આજ, શુદ્ધ ચિન્મય આ એક જ છું હું, જ્યોતિ પરમ સદા જ... રે મુમુક્ષુ ! સેવો સદા આ સિદ્ધાંત. ૨ પૃથગુ લક્ષણ વિવિધ ઉલસે જે, ભાવો આ તે હું ના જ, કારણ સમગ્ર જ ભાવો તો, મહારે તો પરદ્રવ્ય આ જ... રે મુમુક્ષુ ! એવો સદા આ સિદ્ધાંત. ૩ ત્રણે કાળે ય ચળે નહિ એવો, સિદ્ધાંત એક અખંડ, અમૃત કળશે નિશ્ચય ગાયો, ભગવાન અમૃતચંદ્ર.. રે મુમુક્ષુ ! એવો આ સિદ્ધાંત. ૪
इंद्रवज्रा - एकश्चिन्मय एव भावो, भावा परे ये किल ते परेषां, ग्राह्यस्ततश्चिन्मय एव भावो, भावा परे सर्वत एव हेयाः ।।१८४।।
शार्दूलविक्रीडित सिद्धांतोऽयमुदात्तचरित्रै मर्मीक्षार्थिभिः सेव्यतां, . शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्यहं । एते ये तु समुल्लसंति विविधा भावा पृथग्लक्षणा - स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ।।१८५।।
૮૦૭