________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૭૪
‘દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ
રાગાદિ આ કોની કૃતિ રે, ભાખો અહો ગુરુદેવ !
શંકા સહજ મુજ અંતરે રે, ઊઠતી આ સ્વયમેવ... રાગાદિ આ કોની કૃતિ. ૧
રાગાદિ તે તો અહિં કહ્યા રે, નિશ્ચય બંધનિદાન,
તે શુદ્ધ ચિન્માત્ર જ્યોતિથી રે, ભિન્ન ભાખ્યા ભગવાન... રાગાદિ આ. ૨ આત્મા પર વા શું અહીં રે, તેનું હોય નિમિત્ત ?
સમાધાન આ શંકનું રે, સમજાવોજી સુરીત... રાગાદિ આ કોની કૃતિ. ૩ શિષ્યથી એમ પ્રેરિત થતાં રે, શ્રી સદ્ગુરુ ભગવાન,
ટંકોત્કીર્ણ અક્ષર વદે રે, અમૃત અમૃત વાણ... રાગાદિ આ કોની કૃતિ. ૪
અમૃત પદ ૧૭૫
દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ
-
પરસંગ જ રાગાદિનું રે, નિમિત્ત નિશ્ચય જાણ !
વસ્તુ સ્વભાવ આ ઉદયતો રે, ઝળઝળતો જ્યું ભાણ... રે ચેતન ! પર સંગ નિમિત્ત જાણ ! ૧
આત્મા કદી સ્વ રાગાદિનો રે, પામે ન નિમિત્ત ભાવ,
સૂર્યકાંત જ્યમ ના લહે રે, સ્વયમેવ દ્રવ ભાવ... રે ચેતન ! પર સંગ નિમિત્ત, ૨
સૂર્યકાંત દ્રવે છે લહી રે, સૂર્યકિરણ નિમિત્ત,
પરસંગ નિમિત્ત લહી દ્રવે રે, આત્મ દ્રવ્ય તે રીત... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૩ પરભાવ નિમિત્તે ઉપજતા રે, આ રાગાદિ વિભાવ,
ઔપાધિક તે સર્વ છે રે, પણ ન જ આત્મસ્વભાવ... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૪
વસ્તુ સ્વભાવ આ ઉદયતો રે, ઝળઝળતો જ્યું ભાણ,
ટંકોત્કીર્ણ અમૃત કહી રે, ભગવાન અમૃત વાણ... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૫
उपजाति
रागादयो बंधनिदानमुक्ता-स्ते शुद्धचिन्मात्रमहो ऽतिरिक्ताः । आत्मा परो वा किमु तन्निमित्त- मिति प्रणुन्नाः पुनरेवमाहुः || १७४||
હ
न जातु रागादिनिमित्तभाव - मात्मात्मनो याति यथार्ककांतः । तस्मिन्निमित्तं परसंग एव, वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥ १७५ ॥
ડ
૮૦૨