SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ૧૬૪ - ‘શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો' બંધનો હેતુ વિચારો રે સજના ! બંધનો હેતુ વિચારો... (૨) ધ્રુવપદ. ૧ કાર્મણ વર્ગણા વ્યાપ્ત જગત્ આ, બંધ કરનાર ન થાવે, જો થાવે તો સિદ્ધ ભગવાનને, બંધનો પ્રસંગ આવે... રે સજના ! બંધનો. ૨ મન વચ કાયા કર્મ ચલનરૂપ, બંધ કરનાર ન થાવે, જો થાવે તો યથાખ્યાત સંયત, જ્ઞાની પણ બંધ પાવે. રે સજના !, ૩ - એ રાગ કરણો પણ અનેક પ્રકારના, બંધ કરનાર ન થાવે, જો થાવે તો કેવલ જ્ઞાની, ભગવંતો ય બંધ પાવે. રે સજના !. ૪ સચિત્તાચિત્ત વસ્તુ ઉપધાતો, બંધ કરનાર ન થાવે, જો થાવે તો સમિતિ પરાયણ, સાધુને પણ બંધ આવે... રે સજના I. ૫ આ ઉપયોગભૂમિ આત્મા જે, રાગાદિથી ઐક્ય પાવે, તેહજ કેવલ બંધનો હેતુ, સ્નેહામ્બંગ જ્યમ થાવે. રે સજના !. ૬ સ્નેહાભ્યક્ત દૃષ્ટાંતે બંધનું, તત્ત્વવિજ્ઞાન દિખાવે, નિષ્ઠુષ યુક્તિથી સમજાવી, ભગવાન અમૃત ગાવે રે સજના !. ૭ पृथ्वीवृत्त न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा, न नैककरणानि वा न चिदचिद्वधो बंधकृत् । यदैस्यमुपयोगभूः समुपयाति रागादिभिः, स एव किल केवलं भवति बंधहेतु नृणाम् || १६४|| હ ૭૯૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy