________________
સમયસાર : આત્મખ્યાતિ
श्रुतकेवलीभिः स्वयमनुभवद्भिरभिहितत्वेन च
प्रमाणतामुपगतस्यास्य समयप्रकाशकस्य प्राभृताह्वयस्यार्हत्प्रवचनावयवस्य
स्वपरयोरनादिमोहप्रहाणाय
भाववाचा द्रव्यवाचाच परिभाषणमुपक्रम्यते ॥१॥ આત્મખ્યાતિ ટીકાર્થ
હવે પ્રથમથી જ –
૧. સ્વભાવ ભાવભૂતપણાએ કરીને ધ્રુવપણાને અવલંબી રહેલી, અનાદિ ભાવાંતર પર પરિવૃત્તિની વિશ્રાંતિવશે અચલપણાને પામેલી અખિલ ઉપમાનથી વિલક્ષણ અદ્ભુત માહાત્મ્યપણાએ કરીને ઔપમ્ય (ઉપમા આપવા યોગ્ય) અવિદ્યમાન છે, એવી ‘અપવર્ગ' સંશિકા ગતિને પ્રાપ્ત થયેલા,
ભગવત્ સર્વ સિદ્ધોને -
સિદ્ધપણે સાધ્ય આત્માના પ્રતિસ્કંદસ્થાનીય (આદર્શ સ્થાનીય) એવાઓને ભાવસ્તવથી દ્રવ્યસ્તવથી સ્વાત્મામાં અને પરાત્મામાં નિહિત કરીને,
૨. (૧) અનાદિનિધન શ્રુતથી પ્રકાશિતપણાએ કરીને,
(૨) સકલ અર્થ સાર્થના સાક્ષાત્કારી કેવલીથી પ્રણીત પણાએ કરીને,
(૩) અને સ્વયં અનુભવતા શ્રુતકેવલીઓથી કથિતપણાએ કરીને,
પ્રમાણતાને પામેલા
એવા આ સમય પ્રકાશક પ્રામૃત' નામના અર્હત્ પ્રવચન અવયવનું સ્વ-પરના અનાદિ મોહ પ્રહાણાર્થે ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી - પરિભાષણ ઉપક્રમાય (પ્રારંભાય) છે. ૧
આત્મભાવના
મૂળ સૂત્રને ભાવતી, ‘આત્મખ્યાતિ’ને તેમ;
આત્મ ભાવના આ કરે, દાસ ભગવાન આ એમ .
અથ સૂત્રાવતાર: - અથ સૂત્રાવતાર. ‘અર્થ’ - મંગલ અર્થમાં વા પ્રારંભ અર્થમાં હોઈ આ ૫૨મ મંગલમૂર્તિ ‘સૂત્ર'નો - ભગવત્ અર્હત્ પ્રણીત આગમનો ‘અવતાર’ - અવતરણ થાય છે, એમ પરમ ગૌરવપૂર્ણ શબ્દોમાં ‘આત્મખ્યાતિ સૂત્ર’ કર્તાએ આ મંગલ સૂત્રની ભવ્ય રજુઆત કરી છે : ‘વંવિત્તુ સવ્વસિદ્ધે’ - વંદિત્વા સર્વસિદ્ધાન્ સર્વ સિદ્ધોને વંદીને, કેવા સિદ્ધોને ? ધ્રુવમવતમળોવર્મ શરૂં વત્તે' - ધ્રુવમવતમનૌપાં ગતિ પ્રાપ્તાનૢ - ધ્રુવ, અચલ, અનૌપમ્ય - જેનું ઔપમ્ય - ઉપમા આપવા યોગ્ય નથી એવી ગતિને પ્રાપ્ત એવાઓને, વંદીને શું ? ‘વોચ્છામિ સમયપાહુડમિળ’ वक्ष्यामि समय
પ્રાકૃતમિવું -આ સમય પ્રાકૃત કહીશ, ‘ગો’- ગ્રહો - અહો ! કેવું ?
‘સુવòવતીમળિયં’ લાભમાવના ||9||
(હવે આત્મખ્યાતિ ‘સૂત્ર’ કર્તા સૂત્રાત્મક શૈલીથી આ પ્રથમ મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર અદ્ભુત અલૌકિક વ્યાખ્યા રૂપ સૂત્ર પ્રારંભે છે, તેના અર્થભાવન રૂપ આત્મ ભાવના" કરીએ છીએ અને તેવા પ્રકારે અન્ય સૂત્રમાં પણ મૂળ ગાથાની અને આત્મખ્યાતિ’ની પૂર્વાપર સંબંધ દર્શાવવા પૂર્વક સાન્વયાર્થ આત્મભાવના કરશું, એ સર્વત્ર સુન્ન વાંચકના લક્ષમાં રહે. અત્રે બતાવેલ નમૂના પ્રમાણે સંસ્કૃત સાથે મૂળ ગાથાના પ્રાકૃત પાઠનો સંબંધ સ્વબુદ્ધિથી સ્વયં યોજી લેવો.)
-
श्रुतकेवभणितम् શ્રુતકેવલીઓથી ભાખવામાં આવેલું એવું ॥ ૧॥ કૃતિ ગાથા
મૂળ ગાથા ને આત્મખ્યાતિ' ટીકાને સંપૂર્ણપણે આવરી લેતી આ નૃત્યાત્મક ‘આત્મભાવના’ની રચના આ વિવેચકે (‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય કર્તાએ) આત્મભાવના રૂપ સ્વયં વિચારણાર્થે કરી છે, તે મૂળના અનુસંધાનમાં સળંગ પણે યથાવત્ અર્થ ભાવનથી સ્વયં વિચારણાર્થે અભ્યાસાર્થી સુજ્ઞ વાંચકોને ઉપયોગી થઈ પડશે. - ભગવાનદાસ
૨૪