SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૬/૭ ० असङ्गानुष्ठानप्रारम्भः 0 २४५९ अज्ञता-दीनता-हीनता-हताशतादिकं प्रपलायते । सर्वसङ्गस्पृहापरित्यागेन निजाऽनक्षराऽक्षरज्ञानस्वभावि- प चेतनवस्तुनि उपयोगधारा विश्राम्यति । यथावसरं बहिश्चाऽसङ्गानुष्ठानं प्रवर्त्तते। सकलपापेभ्यो विरम्य या विशिष्टा आत्मरतिः सा विरतिः इह तात्त्विकी ज्ञेया। प्रकृते 1 'आउत्तं गच्छमाणस्स, आउत्तं चिट्ठमाणस्स, आउत्तं णिसीयमाणस्स, आउत्तं तुयट्टमाणस्स में आउत्तं भुंजमाणस्स, आउत्तं भासमाणस्स, आउत्तं वत्थं Bपडिग्गहं कंबलं पायपुंछणं गिण्हमाणस्स वा शे વિમારૂ વા.... નાવ વરઘુપાળવાવમવિ...” (પૂ.ફૂ. ર/ર/૨૨ મ.૨/g.રૂ9૬) રૂતિ પૂર્વોપર્શિતા ન (१३/७) सूत्रकृताङ्गसूत्रोक्तिः, “जागर्ति ज्ञानदृष्टिश्चेत्, तृष्णाकृष्णाहिजाङ्गुली। पूर्णानन्दस्य तत् किं स्याद्, । BASINI (ignorance), El-udl (depression), eldl (helplessness), salAll (hopelessness) 2012 અત્યન્ત દૂર ભાગી જાય છે. સર્વ સંગનો, સર્વ સંગની સ્પૃહાનો પરિત્યાગ કરીને પોતાની અનક્ષર = શબ્દાતીત (અલખ નિરંજન) અને અક્ષર = શાશ્વત એવી જ્ઞાનસ્વભાવી ચેતનવસ્તુમાં ઉપયોગધારા ઠરી જાય છે, જામી જાય છે, વિશ્રાન્ત થાય છે. તથા બહારમાં અવસર મુજબ અસંગ અનુષ્ઠાન પ્રવર્તે છે. સર્વ પાપોથી વિરામ પામીને વિશિષ્ટ આત્મરતિ સ્વરૂપ જે વિરતિ છે, તે અહીં તાત્ત્વિક સમજવી. ૪ ભાવનિર્ઝન્થની દેહાદિ ચણાને અવલોકીએ ૪ (પ્ર.) પ્રસ્તુતમાં સૂત્રકૃતાંગસૂત્રના પ્રબંધનું ઊંડાણથી અનુસંધાન કરવું. ત્યાં પરમ ઉચ્ચ નિર્ચન્ધદશાનું વર્ણન આ રીતે મળે છે કે “ચૈતન્યસ્વભાવમાં ટકવા માટે મન-વચન-કાયાથી સંવરધર્મવાળા સાધુ ભગવંત (૧) અત્યન્ત ઉપયોગપૂર્વક જાય છે, (૨) ઉપયુક્તપણે ઉભા રહે છે, (૩) ઉપયોગપૂર્વક બેસે છે, (૪) ઉપયોગસહિત પડખું બદલે છે, (પ) ઉપયોગયુક્તપણે ભોજન કરે છે, (૬) ઉપયોગસહિતપણે બોલે છે, (૭) ઉપયોગયુક્તપણે (a) વસ્ત્રને, (b) પાત્રને, (c) કામળીને, (d) પાદપુંછનને (રજોહરણને કે દંડાસણને) ગ્રહણ કરે છે અને (૮) મૂકે છે. ત્યાંથી માંડીને છેક (૯) આંખનો પલકારો પણ Cી! ઉપયોગસહિતપણે કરે છે. પૂર્વે (૧૩૭) આ સંદર્ભ જણાવેલ છે. આશય એ છે કે નિર્મળ ભાવનિર્ઝન્થદશામાં , નાની-મોટી તમામ દૈહિક ચેષ્ટાઓ, વાચિક ક્રિયાઓ આત્મજાગૃતિસહિત જ વર્તતી હોય છે. મતલબ કે કે અધીરા બનીને, બેબાકળા થઈને, અશાંત ચિત્તે, આકુળ-વ્યાકુળપણ, મૂચ્છિત મનથી, સંમૂચ્છિમાણે, સંભ્રમથી, ઉતાવળથી, ઉદ્વેગથી, આવેશથી કે આવેગથી ક્યારેય પણ ભાવનિર્ઝન્થો મન-વચન-કાયાની ક્રિયામાં જોડાતા નથી. “આત્મભિન્ન દેહાદિની જિનાજ્ઞાસાપેક્ષ ચેષ્ટામાં મારી ચેતનાશક્તિને હું જોડું છું. પૂર્વસંસ્કારવશ મારી ચેતનાશક્તિ તેમાં જોડાય છે. હું તેનો સાક્ષીમાત્ર છું....” ઈત્યાદિ સ્વરૂપ આત્મજાગૃતિ સહિતપણે જ નિગ્રંથ ભગવાન દેહાદિની ચેષ્ટામાં જોડાય છે. ટૂંકમાં, આવી આત્મજાગૃતિ, જ્ઞાનદષ્ટિ એ સાધુજીવનનો ભાવપ્રાણ છે. જ્ઞાનસારમાં આ અંગે જણાવેલ છે કે તૃષ્ણાસ્વરૂપ કાળા સાપનું નિયંત્રણ કરનાર જાંગુલીમંત્ર સમાન જ્ઞાનદષ્ટિ જો પૂર્ણાનંદમય સાધક ભગવાનમાં જાગૃત હોય તો તેને 1. 'उपयुक्तं गच्छतः, उपयुक्तं तिष्ठतः, उपयुक्तं निषीदतः, 'उपयुक्तं त्वग्वर्त्तनं कुर्वाणस्य, 'उपयुक्तं भुञानस्य, उपयुक्तं भाषमाणस्य, उपयुक्तं वस्त्रं पतद्ग्रहं कम्बलं पादपुञ्छनकं गृह्णतो वा निक्षिपतो वा...यावत् 'चक्षुःपक्ष्मनिपातमपि (૩૫યુ ર્વતા)...
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy