SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૭ ० भावश्रावकलक्षणपरामर्श: 0 २४४१ क्रियागतानि भावश्रावकस्य षड् लिङ्गानि धर्मरत्नप्रकरणदर्शितानि (गा.३३-५५) इह प्रादुर्भवन्ति। प ___भावश्रावकस्यैव भावगतानि कलत्राऽवश-करणनिग्रह-धनसन्तोष- संसाराऽरति-विषयाऽगृद्धिमहारम्भत्याग- गृहपाशकल्पना-दर्शनस्थैर्य- मेषवृत्तित्याग-विधिपालनभाव-दानादिरुचि-धर्मलज्जापरिहार- रा प्रबलरागाद्यभाव-मध्यस्थता- स्वजनाऽममत्व-दाक्षिण्य-"निराशंसतादिरूपाणि सप्तदश लिङ्गानि म धर्मरत्नप्रकरणदर्शितानि (गा.५६-५९) इह प्रकृष्यन्ते । ____ प्रायशः सर्वदा 'वित्त-पात्र-द्रव्य-भूमि- देश-काल-नाडी-शकुनाऽऽलम्बन-क्रिया-सत्त्व-साधन र -सौंध्य-हेतु-स्वरूपाऽर्नुबन्धै दम्पर्य-भाव- परिणामोपयोगो द्देश्यलेश्या व्यवहार-भाषा-भैयादिशुद्धिपूर्वं के (૫) ગુરુની સેવા કરે તથા (૨) સૂત્ર-અર્થ-ઉત્સર્ગ-અપવાદાદિમાં વિચક્ષણતા મેળવવા દ્વારા પ્રવચનકુશળ બને. આ છ લક્ષણના અવાન્તર અનેક ભેદ-પ્રભેદો ધર્મરત્ન પ્રકરણમાં શ્રીશાંતિસૂરિજીએ વર્ણવેલ છે. મોટા ભાગે તે અહીં પ્રગટ થાય છે. ૪ ભાવશ્રાવકના ભાવસંબંધી સત્તર લક્ષણ | (ભાવ.) ધર્મરત્ન પ્રકરણમાં જ ભાવશ્રાવકના ભાવસંબંધી સત્તર લિંગો જણાવેલ છે. તે આ મુજબ સંક્ષેપમાં જાણવા. (૧) પત્નીને વશ ન થવું, (૨) ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો, (૩) ધનમાં સંતોષ રાખવો, (૪) સંસારમાં રતિ ન કરવી, (૫) વિષયોમાં વૃદ્ધિ ન કરવી, (૬) મહાઆરંભ-સમારંભ બને ત્યાં સુધી છોડવા, (૭) બંગલાને બંધન માનવું, (૮) સમ્યગ્દર્શનમાં સ્થિર રહેવું, (૯) ઘેટાવૃત્તિને = ગતાનુગતિક વૃત્તિને છોડવી, (૧૦) આગમમાં બતાવેલ વિધિને પાળવાનો ભાવ રાખવો, (૧૧) યથાશક્તિ દાનાદિમાં રુચિ-પ્રવૃત્તિ, (૧૨) ધર્મપ્રવૃત્તિ કરવામાં શરમાવું નહિ. દા.ત. જિનપૂજા માટે ધોતિયું પહેરીને દેરાસર જવામાં લાજ-શરમ ન રાખવી, (૧૩) કોઈ પ્રત્યે તીવ્ર રાગ-દ્વેષ ન કરવા, (૧૪) મધ્યસ્થતા રાખવી, (૧૫) સ્વજનો પ્રત્યે મમતા ન કરવી, (૧૬) દાક્ષિણ્યથી સંસારમાં પ્રવૃત્તિ કરે, (૧૭) નિરાશસભાવે ગૃહવાસને પાળે. ભાવશ્રાવકના આ સત્તર લિંગો પ્રાયઃ કાંતા દષ્ટિમાં પ્રકૃષ્ટ બને છે. તે * અનુષ્ઠાનમાં ૨૫ શુદ્ધિઓને જાળવીએ જ (પ્રાય) કાંતા દષ્ટિમાં વર્તતા મતિમાન શ્રાવક સ્વભૂમિકાને યોગ્ય એવા અનુષ્ઠાનમાં પ્રવર્તતી વખતે હું પ્રાયઃ કરીને નીચેની શુદ્ધિને જાળવે છે. તે આ રીતે - (૧) ધનશુદ્ધિ, (૨) દાન વખતે પાત્રશુદ્ધિ, (૩) સુપાત્રાદિ દાનમાં આપવા યોગ્ય દ્રવ્યની શુદ્ધિ, (૪) જિનાલયનિર્માણાદિમાં ભૂમિશુદ્ધિ, (૫) કયા દેશમાં કે રાજ્યમાં ધંધો, વસવાટ વગેરે કરવો ? તે અંગે દેશશુદ્ધિ, (૬) કાળશુદ્ધિ, (૭) બહાર નીકળતા નાડી શુદ્ધિ, (૮) ગજરાજદર્શનાદિ શુકનશુદ્ધિ, (૯) જિનાલય-જિનપ્રતિમાદિના માધ્યમે મહાપૂજા-ધ્યાનાદિમાં આલંબનશુદ્ધિ, (૧૦) વિધિ સાચવવા દ્વારા ક્રિયાશુદ્ધિ, (૧૧) ઉત્સાહાદિ દ્વારા સત્ત્વશુદ્ધિ, (૧૨) યોગ્ય વ્યક્તિના માધ્યમથી કાર્ય કરાવવો દ્વારા સાધનશુદ્ધિ, (૧૩) સ્વપ્રયત્નસાધ્ય યતનાદિ જાળવવા દ્વારા સાધ્યશુદ્ધિ, (૧૪) સત્કાર્યસાધક યોગ્ય બાહ્ય સામગ્રીનું સંપાદન કરવા સ્વરૂપ હેતુશુદ્ધિ, (૧૫) ધર્મક્રિયામાં બાહ્ય સ્વરૂપશુદ્ધિ, (૧૬) સત્કાર્ય-સદ્ગુણાદિની પરંપરાની જનક આંતરિક અનુબંધશુદ્ધિ, (૧૭) તર્ક વગેરેથી શાસ્ત્રતાત્પર્યને સ્પષ્ટ કરીને પ્રવૃત્તિ કરવા દ્વારા ઔદંપર્યશુદ્ધિ, (૧૮) ઉત્સર્ગ-અપવાદાદિના સંતુલન દ્વારા ભાવશુદ્ધિ, (૧૯) તીવ્ર રાગ-દ્વેષ વિના પ્રવૃત્તિ કરવા દ્વારા પરિણામવિશુદ્ધિ, (૨૦) કાર્ય કરવાની
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy