________________
? ૬/૭
* स्वात्मनि परपरिणामाऽऽरोपणत्यागः
२४१९
श्रद्धा-तीव्रसंवेग-निर्वेदादिभावगर्भम् आत्मार्थी स्पृशति ।
(१८) निरुक्तनमस्कारभावगोचरचित्तोत्साहबलेन चित्तं स्वास्थ्यम् उपलभते, अन्तःकरणं शान्तिम् अधिगच्छति, मनश्च प्रसन्नताम् एति । सम्यगुपासनाचिह्नानि एतानि विज्ञेयानि ।
रा
(१९) एवञ्चाऽग्रे नमस्कारभावतन्मयतया सत्त्वगुणशुद्धिः, योगमार्गौपयिकं कुशलपुण्यम्, शुक्ला- न
ऽन्तःकरणम्, अन्तरङ्गयत्नधृतिः, अन्तरङ्गसाधकदशा, आत्मतत्त्वदिदृक्षा, आत्मतत्त्वविविदिषा, र्श
आत्मतत्त्वग्राहिणी च प्रज्ञा परमं प्रकर्षं यान्ति ।
(२०) आध्यात्मिकशास्त्रश्रवण- सत्सङ्गादिना ज्ञाते कर्तृत्व-भोक्तृत्वादिशून्ये निजवीतरागचैतन्यस्वरूपेऽर पेऽसकृद् अयं निमज्जति । कर्मोदयजन्यकर्तृत्वादिपरिणामान् निजपरिणामतया नैव स्वस्मिन् णि समारोपयति। कर्तृत्व-भोक्तृत्वादिपरिणामेषु पूर्वसंस्कारवशेन जायमानां तन्मयतां निजचित्ताद् निष्काशयति, का
તલસાટ-તરવરાટ અંદરમાં પ્રગટે છે. નિજ આત્મતત્ત્વમાં જ પૂરેપૂરા ૨સ-કસના દર્શન થાય છે. ‘સાચી શાંતિ-સમાધિ-પ્રસન્નતા અંદ૨માં ઠરવાથી જ મળશે' - તેવી શ્રદ્ધા પ્રબળ થતી જાય છે. અંદરમાં ઠરવા માટે ચિત્તવૃત્તિપ્રવાહ સમ્યક્ પ્રકારે વેગવંતો બને છે. બહારમાં નીરસતા-વિરસતા વેદાય છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તરફ સાધક ઝૂકે છે. આ એક પ્રકારનો વીતરાગનમસ્કાર જ છે. આ રીતે વીતરાગ ભગવાનને નમસ્કાર કરવાનો ભાવ, ભગવાનની વીતરાગતાને નમસ્કાર કરવાનો ભાવ આત્માર્થીને સ્પર્શે છે. આમ તાત્ત્વિક પ્રશસ્ત ‘નમો'ભાવની સ્પર્શના કરવા માટે જીવ બડભાગી બને છે. * સાચી ઉપાસનાની ઓળખાણ
(૧૮) પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની અનુભૂતિ કરવાની ઝંખના-તલસાટ-તરવરાટ-તમન્ના વગેરે સ્વરૂપ નમસ્કારભાવ વિશે પોતાના ચિત્તનો ઉત્સાહ પ્રબળ બને છે. તેનાથી સાધકનું ચિત્ત સ્વસ્થતાને -સ્વાસ્થ્યને મેળવે છે, અંતઃકરણ શાંતિને પામે છે તથા મન પ્રસન્ન બને છે. સાચી ઉપાસનાનું આ ચિહ્ન છે. Ø આઠ તત્ત્વોનો પરમ પ્રકર્ષ જી
Cu
(૧૯) આ રીતે આગળ વધતાં પ્રસ્તુત નમસ્કારભાવમાં તન્મયતા આવવાના લીધે (A) સત્ત્વગુણની શુદ્ધિ, (B) યોગસાધનાના માર્ગમાં જરૂરી એવું કુશલ પુણ્ય, (C) શુક્લ અન્તઃકરણ, (D) અંતરંગ પ્રયત્નમાં ધૃતિ, (E) અંતરંગ સાધકદશા, (F) આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવાની પ્રબળ ઈચ્છા, (G) આત્મતત્ત્વનું સમ્યક્ પ્રકારે વેદન કરવાની અભિલાષા તથા (H) આત્મતત્ત્વને ગ્રહણ કરનારી પ્રજ્ઞા આ આઠેય તત્ત્વો ૫૨મ પ્રકર્ષને પામે છે.
-
* નૈશ્ચયિક અધ્યાત્મયોગની સ્પર્શના
(૨૦) આધ્યાત્મિક શાસ્ત્રનું શ્રવણ, સદ્ગુરુની હિતશિક્ષા વગેરે દ્વારા ‘આત્મા હકીકતમાં કર્તા -ભોક્તા નથી. આત્મા પરમાર્થથી વીતરાગ ચૈતન્યસ્વરૂપ છે' - આવું જાણીને આત્માર્થી સાધક વારંવાર પોતાના તેવા સ્વરૂપમાં ડૂબે છે. કર્મોદયજન્ય કર્તૃત્વ-ભોક્તત્વાદિ પરિણામોને પોતાના પરિણામ માનીને પૂર્વવત્ તેઓનો તે પોતાનામાં સમારોપ-ઉપચાર કરતો નથી. કર્મના ઘરના, પારકા એવા કર્તૃત્વ -ભોતૃત્વાદિ પરિણામો કર્મવશ ઉત્પન્ન થતા હોય ત્યારે આ મારા પરિણામ નથી' - એવું જાણવા