SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ १९६२ - ટૂંકસાર - : શાખા - ૧૩ : ૧૧ મી અને ૧૨ મી શાખામાં બતાવેલ સ્વભાવોની નયો દ્વારા જાણકારી અહીં અપાય છે. સ્વદ્રવ્યાદિગ્રાહક નયથી દ્રવ્યનો અસ્તિસ્વભાવ છે. પરદ્રવ્યાદિગ્રાહક નયથી નાસ્તિસ્વભાવ છે. જીવે ગુણાત્મક અસ્તિસ્વભાવને પકડવો, દોષાત્મક નાસ્તિસ્વભાવને છોડવો.(૧૩/૧) પર્યાયાર્થિકનય અનિત્યસ્વભાવને પકડે છે. તથા દ્રવ્યાસ્તિકનય નિત્યસ્વભાવને પકડે છે. પુણ્યોદયમાં અનિત્યસ્વભાવને યાદ કરી નમ્ર બનવું. પાપોદયમાં જીવલેણ રોગાદિથી મૃત્યુની સંભાવના હોય ત્યારે આત્માના નિત્યસ્વભાવને પકડી નિર્ભયતા કેળવવી.(૧૩/૨) | ભેદકલ્પનાનિરપેક્ષ નય એકસ્વભાવને તથા અન્વયદ્રવ્યાર્થિક નય અનેકસ્વભાવને સ્વીકારે છે. આ બન્ને નયના સહકારથી નિર્વિકલ્પદશા ઝડપથી પ્રગટે. (૧૩/૩). ગુણ-ગુણીમાં સભૂતવ્યવહાર નયથી ભેદસ્વભાવ છે તથા ભેદકલ્પનાનિરપેક્ષ નયથી અભેદસ્વભાવ છે. તે જાણી પોતાના પ્રગટ ગુણોને ટકાવવા તથા બીજાના ગુણમય આત્માને નિહાળવો. (૧૩/૪) પરમભાવગ્રાહક નય ભવ્ય સ્વભાવને અને અભવ્યસ્વભાવને જણાવે છે. શુદ્ધાશુદ્ધ પરમભાવગ્રાહક નય આત્મામાં ચૈતન્યસ્વભાવ માને છે. (૧૩/૫) કર્મ-નોકર્મમાં અસભૂતવ્યવહારથી ચેતનસ્વભાવ તથા પરમભાવગ્રાહક નયથી અચેતનસ્વભાવ છે. તે જાણીને બીજાને કાયિક દુઃખ ન દેવું તથા સ્વયે કાયકષ્ટને પ્રેમથી સહી લેવા. (૧૩/૬) અસદૂભૂતવ્યવહારથી જીવમાં અચેતનસ્વભાવ છે. પરમભાવગ્રાહક નયથી કર્મમાં અને નોકર્મમાં મૂર્તસ્વભાવ છે. (૧૩/૭) અસભૂતવ્યવહારથી જીવમાં મૂર્તસ્વભાવ છે. મતલબ કે આપણો રૂપાળો કે કાળો ચહેરો આપણો પારમાર્થિક સ્વભાવ નથી. પરમભાવગ્રાહક નયના મતે પુગલભિન્ન દ્રવ્ય અમૂર્ત જ છે. (૧૩૮) પુદ્ગલમાં ઉપચારથી પણ અમૂર્તતા નથી. તથાવ્યવહારયોગ્ય સ્વભાવનો જ ઉપચાર થાય. (૧૩૯) દૂધ અને પાણીની જેમ અત્યંત સંકળાયેલ પદાર્થો સ્વતંત્ર રૂપે ન બોલવા' - એવું સમ્મતિતર્ક જણાવે છે. તેથી દેહધારી જીવને મારપીટ ન કરતાં તેના પ્રત્યે કોમળતા કેળવવી. (૧૩/૧૦) પ્રગટ મૂર્તતા અમૂર્તતાનો વિરોધ કરે છે. તેથી પરમાર્થતઃ અમૂર્ત એવા આત્માએ સ્વવિરોધી મૂર્તતાથી છૂટવા ગંભીરતાથી સક્રિય બનવું. (૧૩/૧૧) અસભૂતવ્યવહારનયથી પરોક્ષ પરમાણુમાં અમૂર્ત સ્વભાવ માનવો. (૧૩/૧૨) કાલાણમાં અને પુદ્ગલમાં એકપ્રદેશસ્વભાવ છે. તે સિવાય ચાર દ્રવ્યોમાં એકપ્રદેશસ્વભાવને ભેદકલ્પનાનિરપેક્ષ એવા દ્રવ્યાર્થિકનયથી જાણવો. (૧૩/૧૩) ભેદસાપેક્ષનયથી અણુ સિવાય સર્વ દ્રવ્યમાં અનેકપ્રદેશ સ્વભાવ છે. પુદ્ગલ પરમાણમાં અનેકપ્રદેશસ્વભાવ આરોપથી છે. કાલાણમાં તે નથી. (૧૩/૧૪) વસ્તુમાં શુદ્ધનયથી શુદ્ધસ્વભાવ છે તથા અશુદ્ધનયથી અશુદ્ધસ્વભાવ છે. (૧૩/૧૫) અસભૂતવ્યવહાર નયને જ ઉપચરિતસ્વભાવ માન્ય છે. (૧૩/૧૬) અનુપચરિતસ્વભાવ ગુણ છે. ઉપચરિતસ્વભાવ પરમાર્થથી પર્યાયાત્મક છે. ઉપચરિતસ્વભાવ અનિત્ય છે. માટે આપણી પ્રશંસામાં ફૂલાવું નહિ. આપણી ટીકામાં ખળભળવું નહિ.(૧૩/૧૭)
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy