________________
२१६८ ० पुद्गल-तद्गुणपर्यायनिमित्तकः प्रत्याघात: त्याज्य: ० १४/८ इति पुद्गल-तद्गुणेषु चतुर्विधा अर्थपर्यायाः। पुद्गल-तद्गुणानाश्रित्य अष्टधा पर्याया व्याख्याताः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – पुद्गल-तद्गुणानां ये चत्वारः व्यञ्जनपर्यायाः अर्थपर्यायाश्च दर्शिताः तेभ्यः स्वात्मा भिन्नः। आत्मनः तेषाञ्च न परमार्थतः स्थायी सम्बन्धः कश्चित् । ततश्च पुद्गल-तद्गुणवर्तिपर्यायपरिवर्तननिमित्तः कोऽपि प्रत्याघातः स्वात्मनि न स्यात् तथा यतितव्यम् ।
पत्नी-पुत्र-कुटुम्बाऽऽपण-गृह-वस्त्र-शरीरेन्द्रिय-मनः-सत्ता-सम्पत्-सौन्दर्य-स्वास्थ्यादिभ्योऽपि स्वात्मा परश मार्थतः पृथक् । ततश्च तन्निमित्तकरत्यरतिविषमाऽऽवर्ते यथा स्वात्मा न लीयेत, न वा क तन्निमित्तकरागादिना निजशुद्धात्मध्यानादिकं बाध्येत तथा कात्स्न्येन अवधातव्यमित्याध्यात्मिकी शिक्षा णि लभ्यतेऽत्र । तत्परिणमनतश्च '“देविंद-चक्कवट्टी इंदियसुक्खं च जं अणुहवंति । तत्तो अणंतगुणियं अव्वाबाहं का सुहं तस्स ।।” (आ.प.९५८, सं.र.शा.९७८४) इति आराधनापताकायां संवेगरङ्गशालायाञ्चोक्तं सिद्धसुखं
सुलभं स्यात् ।।१४/८।। પરમાણુગુણોની) સંતતિ (= ધારા) અને હૂયણકાદિના ગુણોના ક્ષણોની (= ક્ષણભંગુર (યણુકાદિના ગુણોની) સંતતિ (= પ્રવાહ) તે પુદ્ગલની અપેક્ષાએ અશુદ્ધગુણઅર્થપર્યાય જાણવો. આ પ્રમાણે પુદ્ગલમાં અને તેના ગુણોમાં ચાર પ્રકારના અર્થપર્યાય જાણવા. પૂર્વે આ અંગે ચાર વ્યંજનપર્યાયો જણાવેલા હતા. તેથી પુગલને અને તેના ગુણોને આશ્રયીને આ પ્રમાણે કુલ આઠ પ્રકારના પર્યાયની છણાવટ પૂર્ણ થઈ.
6 પચચપરિવર્તન નિમિત્તક આઘાત-પ્રત્યાઘાતને છોડો આધ્યાત્મિક ઉપનય :- પુદ્ગલ અને તેના ગુણને વિશે જે ચાર પ્રકારના વ્યંજનપર્યાય અને ચાર એ પ્રકારના અર્થપર્યાય ટબામાં તથા પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જણાવ્યા તેનાથી આપણો આત્મા તદ્દન ન્યારો
છે. આત્માને અને તેને પરમાર્થથી કોઈ સ્થાયી સંબંધ નથી. તેથી પુદ્ગલમાં અને તેના ગુણોમાં થતી 1. પર્યાયોની ઉથલ-પાથલ નિમિત્તે આપણા આત્મદ્રવ્યમાં કોઈ પણ પ્રકારનો આઘાત-પ્રત્યાઘાત ઉભો થઈ
ન જાય, તેની પૂરતી કાળજી રાખવાની સૂચના આ શ્લોક દ્વારા મેળવવા જેવી છે. પત્ની, પુત્ર, પરિવાર, દુકાન, મકાન, વસ્ત્ર, શરીર, ઈન્દ્રિય, મન, સત્તા, સંપત્તિ, સૌંદર્ય, સ્વજન, સ્વાથ્ય વગેરેથી પણ આપણો આત્મા પરમાર્થથી તદન નિરાળો છે, ન્યારો છે. તેથી તેના નિમિત્તે રતિ-અરતિના વમળમાં આપણો આત્મા ફસાઈ ન જાય કે તેના નિમિત્તે થતા રાગાદિ દ્વારા પોતાના શુદ્ધાત્માનું ધ્યાન વગેરે બાધિત ન થાય, તેની પૂર્ણતયા તકેદારી રાખવાની આધ્યાત્મિક હિતશિક્ષા આ શ્લોક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તે હિતશિક્ષાનું પરિણમન થવાથી આરાધનાપતાકા પયજ્ઞામાં તથા સંવેગરંગશાળામાં દર્શાવેલ સિદ્ધસુખ સુલભ થાય. ત્યાં જણાવેલ છે કે “દેવેન્દ્ર અને ચક્રવર્તી જે ઈન્દ્રિયસુખને અનુભવે છે, તેના કરતાં અનંતગુણ અધિક અવ્યાબાધ = પીડારહિત સુખ સિદ્ધાત્મા પાસે હોય છે.” (૧૪/૮)
1. देवेन्द्र-चक्रवर्तिनः इन्द्रियसौख्यं च यद् अनुभवन्ति। ततोऽनन्तगुणितम् अव्याबाधं सुखं तस्य ।।