SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ १४/३ ० मौलध्येयं न विस्मर्तव्यम् । २१३३ यथोक्तं बृहद्रव्यसङ्ग्रहवृत्तौ ब्रह्मदेवेन “शुद्धजीवास्तिकाये सिद्धत्वलक्षणः शुद्धद्रव्यव्यञ्जनपर्यायः” (बृ.द्र.स. ૨૪.પૂ.૭૭) તિા ૩: પ્રથમ પર્યાયઃ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम - स्वकीयशुद्धद्रव्यव्यञ्जनपर्यायप्रादुष्करणमेव चरमं परमं च प ध्येयम् आत्मार्थिनः। तपस्त्यागादिबाह्यसाधना-समितिगुप्तिगर्भोगसंयमचर्या-विशुद्धविधियतनापालन गा -चरणकरणसप्ततिकाऽऽचरणाद्यवसरे स्वकीयसिद्धदशालक्षणशुद्धद्रव्यव्यञ्जनपर्यायप्रकटीकरणलक्ष्यं न विस्मर्तव्यम् । स्वप्रशंसा-परनिंदा-साम्प्रदायिकाऽभिनिवेश-यश कीर्तिकामना-बहिर्मुखता-महत्त्वाकाङ्क्षा -लोकरञ्जनादिकुतत्त्वप्रभावेन मौलं ध्येयं साधकैः विस्मर्यते । ततश्च आत्मार्थिना एतादृशकुतत्त्वानि र्श द्रुतं परिहर्तव्यानि । एवमुपयोगशून्यताऽऽचारमालिन्याऽऽलस्य-प्रमाद-दुर्लक्ष्यताऽधैर्यादिकुटिलभावा अपि . आत्मार्थिनं मौलध्येयाद् दूरं नयन्ति। ततश्च तेभ्योऽपि दूरीभूय आत्मार्थिना सिद्धदशाप्रकटीकरण- . प्रणिधानं दृढतया कार्यम् । अन्तर्मुखीभूय विधि-यतनोपयोगाऽऽदरपूर्वं यथाशक्ति स्वभूमिकोचित- गण विशुद्धाऽऽचारपालनपरायणतया भाव्यमित्याऽऽध्यात्मिकोपदेशः। ततश्च “सव्वण्णू सव्वदरिसी, का निरुवमसुहसंगया य ते तत्थ । जम्माऽऽइदोसरहिया, चिट्ठति सया वि भगवंतो।” (सं.र.शा.९७१२) इति संवेगरङ्गशालायां श्रीजिनचन्द्रसूरिप्रदर्शितं सिद्धसुखं प्रत्यासन्नतरं भवेत् ।।१४/३।। છે. બૃહદ્રવ્યસંગ્રહવૃત્તિમાં બ્રહ્મદેવજીએ જણાવેલ છે કે “શુદ્ધ જીવાસ્તિકાયમાં સિદ્ધત્વસ્વરૂપ શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે' - આ રીતે પર્યાયના પ્રથમ ભેદનું નિરૂપણ પૂર્ણ થયું. .) શુદ્ધાત્મદ્રવ્યવ્યંજનપર્યાય પ્રાદુર્ભાવ ઃ ચરમ-પરમ લક્ષ્ય ) આધ્યત્મિક ઉપનય - પ્રત્યેક સાધકનું ચરમ અને પરમ ધ્યેય પોતાના શુદ્ધઆત્મદ્રવ્યવ્યંજનપર્યાયને પ્રગટાવવાનું છે. (૧) તપ-ત્યાગાદિ બાહ્ય ઉગ્રસાધના, (૨) સમિતિ-ગુપ્તિના પાલનપૂર્વકની ઉગ્ર સંયમચર્યા, (૩) વિધિનું અને જયણાનું અણિશુદ્ધ પાલન, (૪) ચરણસિત્તરિનું અને કરણસિત્તરિનું વિશુદ્ધ આચરણ - આ ચારેય પ્રવૃત્તિમાં પોતાની સ્થિર સિદ્ધદશા સ્વરૂપ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયને વહેલી તકે પ્રગટ કરવાનું છે મૂળભૂત લક્ષ્ય ચૂકાવું ન જોઈએ. આત્મપ્રશંસા, પરનિંદા, સાંપ્રદાયિક ઝનૂન, પ્રસિદ્ધિની ભૂખ, બહિર્મુખતા, તો મહત્ત્વાકાંક્ષા, લોકરંજન વગેરે મલિન તત્ત્વોના પ્રભાવે આ મૂળભૂત ધ્યેય સાધકો દ્વારા ચૂકી જવાય છે. તેથી આત્માર્થી સાધકે આ મલિન તત્ત્વોને ઝડપથી આત્મનિકાલ આપવો જોઈએ. તેમજ ઉપયોગશૂન્યતા, આચારમાં ઘાલમેલ, આળસ, પ્રમાદ, બેદરકારી, અધીરાઈ વગેરે કુટિલ ભાવો પણ સાધકને મૂળભૂત ધ્યેયથી ઘણે દૂર લઈ જાય છે. તેથી આત્માર્થી સાધકે તેનાથી પણ સદેવ દૂર રહી સિદ્ધદશાને પ્રગટાવવાના મૂળભૂત ધ્યેયનું પ્રણિધાન દઢ કરવું. અંતર્મુખ રહી વિધિ-જયણા-ઉપયોગ અને અહોભાવ પૂર્વક સ્વભૂમિકાયોગ્ય વિશુદ્ધ આચારનું શક્તિ છૂપાવ્યા વિના અણિશુદ્ધ પાલન કરવામાં તત્પર રહેવું જોઈએ. આવા પ્રકારનો આધ્યાત્મિક ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. તે અણિશુદ્ધ પાલનના કારણે સંવેગરંગશાળામાં દર્શાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે છે. ત્યાં શ્રીજિનચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સિદ્ધશિલામાં સિદ્ધ ભગવંતો કાયમ સર્વજ્ઞ, સર્વદર્શી, નિરુપમસુખયુક્ત, જન્માદિદોષરહિતપણે રહે છે.” (૧૪/૩) 1. सर्वज्ञाः सर्वदर्शिनः, निरुपमसुखसङ्गताः च ते तत्र। जन्मादिदोषरहिताः, तिष्ठन्ति सदाऽपि भगवन्तः।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy