SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ રક ૫ કરો 0 3000 78 • દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા સુવાસકારની હૃદયોર્મિ P અનેક સ્થળોએ નકશા-કોષ્ટકો દર્શાવીને પદાર્થનું પ્રતિપાદન કર્યું છે. (જુઓ – ૧/૧, ૨/૧૧, ૩/૧૩, ૪૮ + ૧૩ + ૧૪, ૫/૧ + ૮ + ૧૯, ૬/૧૦ + ૧૧ + ૧૨ + ૧૫ + ૧૬, ૭/૧ + ૧૯, ૮/૧૬, ૯૮+ ૨૩+ ૨૪ + ૨૮, ૧૦/૧૯, ૧૨/૧૪, ૧૩/૪, ૧૪૭ વગેરે..). પરિશિષ્ટ-૧૫માં આ નકશાઓ દર્શાવેલ છે. © એક જ ગ્રંથકારે જુદા-જુદા ગ્રંથોમાં એક જ વિષયમાં વિલક્ષણ વાતો કરી હોય તેનો ઉલ્લેખ પરામર્શકર્ણિકામાં કરેલ છે. દા.ત.• ઋજુસૂત્રનય અંગે શ્રીહરિભદ્રસૂરિમત (૮/૧૩), શ્રી હેમચન્દ્રસૂરિમત (૮/૧૩), મહોપાધ્યાય શ્રીયશોવિજયજીમત (૮/૧૩). • કાળતત્ત્વ વિશે શ્રી હેમચન્દ્રસૂરિમત (૮/૧૩, ૧૦/૧૯), શ્રીશીલાંકાચાર્યમત (૧૦/૧૨,૧૦/૧૮), શ્રીમલયગિરિસૂરિમત (૧૦/૧૨+૧૯). © એક જ ગ્રંથકારે એક જ વિષયમાં એક જ ગ્રંથમાં અલગ-અલગ અભિપ્રાયથી આગળ-પાછળ અનેક વિભિન્ન મંતવ્યો જણાવેલ હોય, તેનું દિગ્દર્શન કરેલ છે. દા.ત. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં • વ્યંજનપર્યાય અને અર્થપર્યાય અંગે શ્રીહેમચન્દ્રસૂરિમત (૧૪૨). • ઋજુસૂત્ર અંગે શ્રીહેમચન્દ્રસૂરિમત (૮/૧૩) વગેરે. * પ્રાચીન પ્રાકૃત ભાષાની ગાથાઓને ઉત્તરકાલીન ગ્રંથકારોએ સંસ્કૃત ભાષામાં જાણે કે છાયા સ્વરૂપે બતાવી ન હોય ! એવા અનેક સ્થળોને વાચકવર્ગ પરામર્શકર્ણિકામાં નિહાળી શકશે. (જુઓ - ૧૩/૧૦, ૧૪૭, ૧૪/૧૭, ૧૬/ર વગેરે). • શ્વેતાંબરીય ગ્રંથોનું આવું સંસ્કૃત રૂપાંતરણ દિગંબર ગ્રંથોમાં પણ જોવા મળે છે. (જુઓ - ૧૫/૨/૩ વગેરે). * એક જ ગ્રંથકારે સ્વરચિત અનેક ગ્રંથમાં અન્ય ગ્રંથના એક જ શ્લોક મૂળગ્રંથરૂપે દર્શાવેલ હોય તેવા શ્વેતાંબર-દિગંબર ગ્રંથોના અનેક સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે – • ઈચ્છાયોગ અંગે યોગદષ્ટિસમુચ્ચય અને લલિત વિસ્તરા ગ્રંથની કારિકા (જુઓ-૧|૮,૧૫/૨/૧૧). • જીવલક્ષણ વિશે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, ભાવપ્રાભૂતની ગાથા (જુઓ - ૧૦/ર૦). એક જ ગ્રંથકારે સ્વરચિત જુદા-જુદા ગ્રંથોમાં અન્ય ગ્રંથના એક જ શ્લોકને થોડાક ફેરફાર સાથે ઉદ્ધત સંદર્ભ તરીકે જણાવેલ હોય, તેને પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. દા.ત. • અનેકાંતજયપતાકા તથા અનેકાન્તવાદપ્રવેશ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ ઉદ્ધત કરેલ શ્લોક (૧૧/૮) વગેરે. @ જુદા-જુદા ગ્રંથકારોએ એક જ શ્લોક આંશિક શાબ્દિક ફેરફાર સાથે અનેક ગ્રંથમાં ઉદ્ધત સંદર્ભ તરીકે જણાવેલ હોય તેનો પરામર્શકર્ણિકામાં નિર્દેશ કરેલ છે. દા.ત.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy