SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ષોડશક પ્રકરણ દર્શન તે પછી “ મહાપાનિઝુરા > વગેરે બોલ્યો કેમ? વિહાર કરે તે સાધુપણું ટકે. પ્રાતિહાર્યને અંગે દેવપણું જરૂરી નથી. પણ દેવપણાને અંગે પ્રાતિહાર્યાદિની જરૂર છે. અને તેથી તપ્રતિવંદ” એટલે બાહ્ય ચિહને અંગે ધર્મ બંધાયેલો નથી. પણ ધર્મને અંગે હોય તે ચિહ્નો જ, તેવી રીતે દેવગુરુમાં સમજવું. એકલા ચિહને તપાસે પણ તત્ત્વમાં ન ઉતરે તે માટે આટલી ભલામણ કરી છે. જેમ માર્ગમાં જનાર મુસાફરને આગળ બે ફાંટા પડતા માર્ગને સમજ જરૂરી છે, તેમ ધર્માદિને અંગે શુભ ભાવનું ધ્યાન રાખવું જોઈએ, નહી તે પરિણામ જુદુ આવે. આ બધું બાહ્ય સાંગિક સ્થિતિ જોનારા માટે કહ્યું, પણ વર્તાન માટે તે વાંધો નથીને? કારણ કે વર્તન તે ગ્રેવીસે કલાક સરખું હેય ને? લિંગમાં તે પ્રતિકમણ, લોચ કે ગોચરી કઈ વખતે હાય, પણ આ મધ્યમ તે ચોવીસે કલાકની ચીજ દેખીને દેવગુરુધર્મને માને. હવે વીસે કલાકની ચીજ કઈ કે દ્વારા પરીક્ષા કરાય? તે અષ્ટ પ્રવચનમાતા તે ચોવીસે કલાક રહેનારી છે. જેમ ચાલવા માંડે કે ઈસમિતિ, તેમજ બોલવામાં ભાષાસમિતિ, ગેચરી માટે એષણા સમિતિ, આદિ જોઈએ, તેવી જ રીતે ધર્મને અંગે સંસારને ભય ચોવીસે કલાક હોય, દેવને અંગે કેવળજ્ઞાન આદિ ગુણે સતત હાય, આવી રીતે મધ્યમ બુદ્ધિવાળો દેવાદિ ત્રણને જુએ, પણ બુધ તેના ખુદ સ્વરૂપને જુએ, એટલે દેવને માર્ગદર્શક હોય તે જ માને, ગુરુને ઉત્સર્ગ–અપવાદ સહિત આત્મરમણતામાં હોય ત્યારે માને, ધર્મને જણપૂર્વક વ્રત-પચ્ચકખાણ-સામાયિક પૌષધાદિની પરિણતિ હોય તે જ માને. આવી રીતે ત્રણે જણ દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા કરીને શુદ્ધ દેવાદિને મેળવે. છતાં શાસ્ત્રકાર કહે છે કે દેશના દેવાવાળાએ લાયક દેશના દેવી. અને શ્રોતાઓ સાંભળવી, જેથી જીવો સમ્યકત્વને પામે ને કલ્યાણની માળાને ભજે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy