________________
એ રીતે પુદ્ગલાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યભાવની ત્રિભંગી એ કરી જાણવું.
૫૮૫-શિષ્ય :-કાલદ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ
ગુરૂ દ્રવ્યથકી તે કાલવ્યને એક સરાય લેકલેકમાં વતે છે, તે જાણવે, અને ભાવથકી કાલદ્રવ્ય નવા-પુરાણા વર્તનારુ૫ જાણવું, તથા એ ભાવથકી જે નવા-પુરાણું વર્તનારૂપ તે દ્રવ્યથકી જીવ-અજીવ દ્રવ્યરુપ વસ્તુને વિષે જાણ.
એ રીતે કાલવ્યનું સ્વરુપ દ્રવ્ય-ભાવની ત્રિભંગીએ કરી જાણવું.
એ રીતે ષટ્દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ભંગીએ કરી, ત્રિભંગીએ કરી, તથા બે ભંગીએ કરી વિચારતાં થક સમકિતની શુદ્ધિ થાય.
હવે નવતત્ત્વનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ચભંગીએ કરી દેખાડે છે
તેમાં જીવ અને અજીવ એ બે તત્વનું સ્વરૂપ આગળ છ દ્રવ્યના સ્વરૂપમાં કહ્યું, હવે શેષ પુણ્યાદિક સાત તરવનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ભગીએ કરી કહે છે.
૫૮૬ શિષ્ય :- નવ તત્ત્વમાંથી પુણ્યતત્વનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકીને દ્રવ્યથકી ને કેમ જાણીએ?