SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૩ સમભિરૂદનયને મતે આઠમા ગુણઠાણાથી માંડી ચાવત્ અગીયારમા–બારમા ગુણઠાણુ પર્વત શ્રેણિભાવે જે જીવ વતે છે, તેને એ દર્શનાદિક ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં આઠ તત્વ પામીયે. તેરમે ગુણઠાણે કેવલી ભગવાનને ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં નવે તવ પામીએ. ગુણઠાણ વર્જિત લેકને અંતે સિદ્ધ પરમાત્મા વિતે છે, તેને એ ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં ત્રણ તત્વ પામીયે. એ રીતે સિદ્ધથયંત્રનું સ્વરૂપ નવ તર કરી જાણવું. ૪૦૭–આઠમે ભાંગે ગુ ગુણે કરી સિદ્ધચક્રયંત્રનું સ્વરૂપ ઓળખાવે છે – તિહાં પ્રથમ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ પાંચે ગુણી જાણવા. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ત૫, એ ચાર ગુણ જાણવા. એટલે એ પૂર્વોક્ત પાંચ ગુણમાં એ દર્શનાદિક ચાર ગુણ રહ્યા છે, માટે એ ગુણ જાણવા. અને એ અરિહંતાદિક પાંચ જે છે, તે દર્શનાદિક ચાર ગુણે કરી સહિત છે, માટે ગુણી જાણવા. એ રીતે સિદ્ધચયંત્રનું સ્વરૂપ ગુણી-ગુણે કરી ઓળખાવ્યું.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy