________________
પ્રદેશે કર્મની અનંતી વર્ગણુઓ લાગી છે, અને એકેક વગણમાં અનંતા પુદ્ગલ પરમાણુઓ રહેલા છે, એ ચાંચમું પુદ્ગલદ્રવ્ય થયું, અને એ પરમાણુઓ સદાકાલ શાશ્વતા છે, માટે એકેકા પરમાણુઓમાં અનંતે ઉત્પાદવ્યયરૂપ કાળ વહી ગયે, માટે છઠ્ઠ કાળદ્રવ્ય પણ અનંતું કહીયે, અને પરમાણુઓ તે એના એ શાશ્વતા છે, એ રીતે એક મુઠ્ઠીમાં છ દ્રવ્ય જાણવા.
૨૧૧ શિષ્ય–જીવના પાંચસો ત્રેસઠ ભેદ છે, તેમાંથી કેટલા ભેદના જીવ મરણ પામે અને કેટલા ભેદના જીવ મરણ ન પામે?
ગુરૂ–જીવના પાંચસે ત્રેસઠ ભેદમાંથી દેવતાના અપપ્તાવસ્થાના નવાણું ભેદ ન મરે, તથા નારકીને અપર્યા. પ્તાવસ્થાના સાત ભેદ ન મરે, તથા ચુગલીયા મનુષ્યના અપર્યાપ્તાવસ્થાના છયાસી ભેદ ન મરે, એ રીતે સર્વ મળી (૧૨) ભેદ ન મરે, બાકીના (૩૭૧) ભદવાળા મરે.
એ રીતે નવતત્વનું સ્વરૂપ સમક્તિદષ્ટિ જીવના હિતને અથે સમક્તિરૂપરત્ન નિર્મળ કરવાને વાસ્તે પરસત્તાની પ્રતીતિ કરવાને દીપક સમાન આત્માથી જીવને આભરણુસમાન નવતત્વ વિચાર કહ્યો.
I(Vigy)