________________
૯૯૮
ચાર પ્રકારના ઉપસર્ગો અંગોને પરસ્પર મસળવાથી આત્મસંવેદનીય ઉપસર્ગો થાય છે. (૩૦૦૬-૩૦૦૭)
(સટીક વિશેષાવશ્યકભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ આ ચાર પ્રકારના ઉપસર્ગોને ધીરજપૂર્વક સહન કરે છે, અને તેથી તેમને તેઓ જીતે છે. આમ છત્રીસ ગુણોરૂપી બાણોવાળા ગુરુ કર્મોરૂપી દુશ્મનોને જીતે. (૩૪)
આમ તેત્રીસમી છત્રીસી સમાપ્ત થઈ.
अमयसमो नत्थि रसो, न तरू कप्पहुमेण परितुल्लो । विणयसमो नत्थि गुणो, न मणी चिंतामणिसरिच्छो ॥
અમૃત સમાન બીજો રસ નથી, કલ્પવૃક્ષ જેવું વૃક્ષ નથી, વિનય સમાન ગુણ નથી અને ચિંતામણિ જેવું મણિ નથી. चंदणतरूण गंधो, जुण्हा ससिणो, सिअत्तणं संखे । सहनिम्मिआई विहिणा, विणओ अ कुलप्पसूयाणं ॥
ચંદનવૃક્ષની સુગંધ, ચંદ્રની ચાંદની, શંખની શ્વેતતા અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલાનો વિનય આ વિધાતાએ (આશ્રયની) સાથે જ બનાવેલા છે. विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोअणं । नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥
વિભૂષા, સ્ત્રીનો સંસર્ગ અને વિગઈથી ભરપૂર રસવાળુ ભોજન - આત્માને શોધનારા મનુષ્ય માટે આ ત્રણ બાબત તાલપુટ વિષ જેવી છે. हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुदं । इहलोय पारलोइअ, सुहाण मूलं नमुक्कारो ॥
નમસ્કાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ફેલાવે છે, સંસારસમુદ્રને સુકાવે છે, આલોક અને પરલોકના સુખોનું મૂળ છે.
+