SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ ગુરુનું માહાભ્ય આવું છે, માટે ગુરુની આશાતનાથી મોક્ષ ન થાય. પ્રશ્નઃ મોક્ષ કેમ ન થાય? ઉત્તર ઃ અબોધિની પરંપરાનો અનુબંધ ચાલે, એનાથી અનંતસંસારીપણું થાય એટલે મોક્ષ ન થાય. (૯/૧/૫) ગાથાર્થ - જે બળેલા અગ્નિને અપક્રમે, સાપને ગુસ્સે કરે, જીવિતાર્થી જે ઝેર ખાય...ગુરુની આશાતના સાથે આ ઉપમા છે. (૯/૧/૬) ટીકાર્થ - જે ભડભડ બળતા અગ્નિનો ટેકો લઈને ઊભો રહે, અથવા તો સાપને ગુસ્સો કરાવે, અથવા તો જીવવાની ઇચ્છાવાળો ઝેર ખાય, ગુરુસંબંધી કરાયેલી આશાતના સાથે આ ઉપમા અપાય. અર્થાત્ નુકસાનોની પ્રાપ્તિ પ્રત્યે આ ઉપમા છે. અર્થાતુ અગ્નિ, સર્પ, ઝેર દ્વારા જેમ નુકસાન થાય, તેમ ગુરુની આશાતનાથી નુકસાન થાય. (૯/૧/૬) આમાં વિશેષતા બતાવે છે કે - ગાથાર્થ - કદાચ અગ્નિ તેને ન બાળે, કદાચ ગુસ્સે થયેલ સર્પ ડંખે નહિ, કદાચ હલાહલ ઝેર ન મારે તો પણ ગુરુહીલનાથી મોક્ષ ન થાય. (૯/૧/૭). ટીકાર્થ - કદાચ એવું બને કે મંત્રાદિના પ્રતિબંધના કારણે અગ્નિ એ માણસને ન બાળે. કદાચ એવું બને કે ગુસ્સે થયેલો સર્પ દંશ ન મારે. મંત્રાદિના પ્રતિબંધના કારણે જ આવું બને. કદાચ એવું બને કે અતિભયંકર ઝેર પણ ન મારે. આમ આ બધું કદાચ બની જાય, પણ ગુરુની કરાયેલી આશાતનાથી મોક્ષ (તો ક્યારેય) ન થાય. (૯/૧/૭) ગાથાર્થ - જે મસ્તકથી પર્વતને ભેદવા ઇચ્છે, ઊંઘેલા સિંહને જગાડે, જે શક્તિના અગ્રભાગમાં પ્રહાર આપે ગુરુની આશાતના સાથે આ ઉપમા છે. (૯/૧|૮) ટીકાર્ય - જે માણસ પર્વતને મસ્તકથી ભેદવા માટે ઇચ્છે, અથવા પર્વતની ગુફામાં ઊંધેલા સિંહને જગાડે, અથવા જે શક્તિ નામના એક શસ્ત્રવિશેષની ધાર ઉપર હાથથી પ્રહાર કરે...ગુરુની આશાતના સાથે આ ઉપમા છે... આ પણ પહેલાની જેમ જ સમજવું. (૯/૧/૮). અહીં વિશેષતા દર્શાવે છે –
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy