________________
૪૦૨
ગયો છે, તે નિર્વિચિકિત્સ કહેવાય.
એ મતિવિભ્રમ આવો હોય કે, ‘‘જિનદર્શન તો સાચું જ છે. પરંતુ એમાં પ્રવૃત્તિ કરનારા એવા પણ મને આ જિનદર્શન દ્વારા ફળ મળશે કે નહિ ? કેમકે ખેડૂત વગેરેમાં ક્રિયાની બંને બાબતોની ઉપલબ્ધિ થાય છે. એટલે કે ખેડૂતો ખેતીક્રિયા કરે, તો એમાં કોઈકને ફળ મળે છે, કોઈકની ખેતી નિષ્ફળ જાય છે. તો એ રીતે મારી પણ આ ક્રિયાઓ નિષ્ફળ તો નહિ જાય ને ?’’
આઠ પ્રકારના દર્શનાચાર
આવા પ્રકારનાં મતિવિભ્રમથી રહિત હોય તે નિર્વિચિકિત્સ.
એને આવો નિશ્ચય હોય કે ‘‘અવિકલ = સંપૂર્ણ ઉપાય ઉપેયવસ્તુ સાધ્યવસ્તુને અપાવડાવનાર ન બને એવું ન બને. અર્થાત્ ખેડૂતોને જો ખેતી કરવામાં પાણી, સારું બીજ, મહેનત વગેરે બધા ઉપાયો પ્રાપ્ત થાય તો અવશ્ય ફળ મળે જ છે. જ્યાં ખેતી નિષ્ફળ થઈ છે, ત્યાં કોઈકને કોઈક કારણોની ગેરહાજરી જ કામ કરી ગઈ છે. એટલે સંપૂર્ણ ઉપાય હોય, તો ફલ મળે જ.’’
=
(ન જીવિત્વ ઉપાયઃ એ પ્રમાણે પાઠ છે. પરંતુ અવિત પાઠ વાસ્તવિક લાગે છે. છતાં જો છપાયેલા પાઠ પ્રમાણે જ અર્થ કરવો હોય તો આ પ્રમાણે - વિકલ્પ ઉપર દર્શાવેલ મતિવિભ્રમ. આવા મતિવિભ્રમરહિત ઉપાય કાર્યસાધક બને જ, અથવા તો અવિકલ્પ નિશ્ચિત = સાચો ઉપાય ફલસાધક બને જ...)
આમાં ઉદાહરણ વિદ્યાસાધકનું છે. તે જેમ આવશ્યકમાં દર્શાવેલ છે, એમ સમજી લેવું. અથવા તો
નિવિષ્ણુનુપ્સ: એમ શબ્દ લો. એટલે કે સાધુની જુગુપ્સાથી રહિત.
આમાં ઉદાહરણ શ્રાવકપુત્રી છે, તે પણ આવશ્યકમાં જ જેમ દર્શાવેલ છે, તેમ સમજવું.
=
=
(૪) અમૂઢદૃષ્ટિ : બાલતપસ્વીનાં તપ, વિદ્યાનાં અતિશયનાં દર્શન દ્વારા જેની ષ્ટિ (=સમ્યક્ત્વ) સ્વરૂપમાંથી ચલિત નથી થઈ તે અમૂઢદૃષ્ટિ. (અર્થાત્ મિથ્યાત્વીઓનાં તપાદિ જોઈને પણ જે જૈનદર્શનમાં શ્રદ્ધા ગુમાવતો નથી તે અમૂઢદૃષ્ટિ.)
આમાં ઉદાહરણ સુલસા શ્રાવિકા છે.
તે આ પ્રમાણે - લૌકિકઋષિ (પરિવ્રાજક) અંબડ રાજગૃહ નગરીમાં જતો હતો, ત્યારે