SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથી છત્રીસી હવે ચોથી છત્રીસી કહે છે – શબ્દાર્થ - વચનના છ દોષો, છ લેશ્યાઓ, છ આવશ્યકો, છ દ્રવ્યો, છ તર્કો અને છ ભાષાઓના સ્વરૂપને જાણવા વડે છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૫) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - કહેવાય તે વચનો. દૂષિત કરે તે દોષો. વચનના દોષો તે વચનદોષો. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ અલીકવચન, ૨ હીલિતવચન, ૩ ખિસિતવચન, ૪ કર્કશવચન, ૫ નાત્રકોટ્ટનવચન અને અધીકરણોદીરકવચન. પ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ‘ગાથાર્થ - હીલિતા, ખિસિતા, પરુષા, અલિકા તથા ગૃહસ્થની ભાષા, વળી છઠ્ઠી ભાષા ઉપશાંત અધિકરણના ઉલ્લાસને કરનારી છે. (૧૩૨૧) ટીકાર્થ - કહેવાય તે ભાષા એટલે કે વચનો. ખરાબ ભાષા મોટા કર્મબંધમાં કારણભૂત છે. તે હીલિતા વગેરે ભેદથી છ પ્રકારની છે. તેમાં હીલિતા એટલે અસૂયાપૂર્વક અવગણના કરતા હે વાચક ! હે જ્યેષ્ઠાર્ય ! વગેરે કહેવું. ૧. ખિસિતા એટલે જન્મ, કર્મ વગેરે ઉઘાડા કરવા, ૨. પરુષા એટલે હે દુષ્ટ શૈક્ષ ! વગેરે કર્કશવચન. ૩. અલીકા એટલે કેમ દિવસે બેઠા બેઠા ઊંઘે છે વગેરે પ્રશ્ન થવા પર હું ઊંઘતો નથી વગેરે કહેવું ૪ તથા ગૃહસ્થોની ભાષા તે ગાર્હસ્થી ભાષા. તે હે પુત્ર ! હે મામા ! હે ભાણેજ ! વગેરે રૂપ છે. ૫. વળી છઠ્ઠી ભાષા ઉપશાંત અધિકરણ ઉલ્લાસ સંજનની એટલે શાંત થયેલા ઝઘડાને ફરી પ્રવર્તાવનારી છે. (૧૩૨૧)' તેમાં અલીકવચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - લોકમાં સર્વસાધુઓ વડે મૃષાવાદ નિંદા કરાયેલ છે અને તે જીવો માટે અવિશ્વાસ છે. તેથી મૃષાવાદનું વર્જન કરવું. (૬/૧૨) ટીકાર્થ - મૃષાવાદ સર્વ લોકમાં બધા સાધુઓ વડે નિંદાયેલ છે, કેમકે તે બધા વ્રતોનો અપકાર કરનાર છે અને પ્રતિજ્ઞા કરાયેલનું તેનાથી પાલન થતું નથી. મૃષાવાદી જીવોને માટે
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy