SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ તેજસ્કાયની વિધિ કહેવાઈ ગઈ. હવે વાયુકાયની વિધિ કહે છે ગાથાર્થ - પંખા, પત્ર, શાખા કે વિધૂનનથી પોતાની કાયાને કે બાહ્યપુદ્ગલને વીંઝે નહિ. (૮/૯) છ પ્રકારના કાયો ટીકાર્થ - તાલવૃત્ત = એક વિશેષપ્રકારનો પંખો. પત્ર = પદ્મિનીપત્ર (પાંદડું વગેરે...) શાખા = વૃક્ષની ડાળ. વિધૂનન = પંખો. આ બધાથી સાધુ પોતાના શરીરને પણ ન વીંઝે. તથા ગરમપાણી વગેરે રૂપ બાહ્યપુદ્ગલને પણ ન વીંઝે. (૮/૯) વાયુકાયની વિધિ કહેવાઈ ગઈ. હવે વનસ્પતિની વિધિ કહે છે - ગાથાર્થ - તૃણ, વૃક્ષને તથા કોઈકના ફલ, મૂળને ન છેદે. કાચા વિવિધબીજને મનથી પણ ન ઇચ્છે. (૮/૧૦) ટીકાર્થ - તૃળવૃક્ષ આ એકવદ્ભાવ = સમાહારદ્વન્દ્વ સમાસ થયેલો છે (માટે જ એકવચન છે.) તૃણ એટલે દર્ભ વગેરે પ્રકારનું ઘાસ. વૃક્ષ એટલે કદંબાદિ વૃક્ષો. આ બધાને છેદવા નહિ. તથા કોઈક વૃક્ષાદિના ફલને કે મૂળને પણ ન છેદવા. તથા અનેકપ્રકારનાં જે બીજ શસ્ત્રથી હણાયેલા ન હોય = કાચા = સચિત્ત હોય તેને મનથી પણ ન ઇચ્છે, તો ખાવાની તો વાત જ ક્યાં રહી ? (૮/૧૦) ગાથાર્થ - ગહનોમાં, બીજોમાં કે હિરતોમાં ન રહે. તથા પાણીમાં, ઉનિંગમાં કે પનકમાં સદાય ન ઊભો રહે. (૮/૧૧) = = ટીકાર્થ - ગહન વનનિકુંજ = ગાઢજંગલવિસ્તારો ત્યાં સાધુ ન રહે, ન ઊભો રહે...કેમકે ત્યાં વનસ્પતિનો સંઘટ્ટો વગેરે દોષ લાગી શકે છે. તથા બધે ફેલાયેલા, વીખરાયેલા શાલિ વગેરે બીજો ઉપર કે દૂર્વા વગે૨ે હરિત ઉ૫૨ સાધુ ન ઊભો રહે. તથા કાયમ માટે ઉદકમાં ન ઊભો રહે. પ્રશ્ન ઃ વનસ્પતિનો અધિકાર ચાલે છે, એમાં ઉદક = પાણીની વાત ક્યાંથી આવી ?
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy