SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પાંચ પ્રકારની સમિતિ (૧૦) છર્દિતદોષ - ઢોળતા ઢોળતા વહોરાવેલ વસ્તુ વહોરવી તે. આ એષણાના દસ દોષો છે. આ બધા ય બેતાલીસ દોષો થાય છે. ગાથામાં ‘વાયામેસામો' શબ્દમાં મ કાર છે તે વ્યાકરણના નિયમ વિના બહારથી આવેલ છે. ભોજનના પાંચ દોષ આ પ્રમાણે છે – (૧) સંયોજનાદોષ - સ્વાદ માટે બે કે વધુ વસ્તુને ભેગી કરીને વાપરવી તે. (૨) પ્રમાણદોષ - પુરુષ, સ્ત્રી, નપુંસકનો ક્રમશઃ ૩૨, ૨૮, ૨૪ કોળીયા આહાર છે. તે પ્રમાણથી વધુ વાપરવું તે. (૩) ઈંગાલદોષ - આહાર વગેરેના દાતાની પ્રશંસા કરીને કે આહાર વગેરે ઉપર રાગ કરીને વાપરવું તે. (૪) ધૂમદોષ - આહાર વગેરેના દાતાની નિંદા કરીને કે આહાર વગેરે ઉપર દ્વેષ કરીને વાપરવું તે. (૫) કારણદોષ - કારણ વિના વાપરવું તે. (૨૯૮) હવે આદાનનિક્ષેપણાસમિતિને કહે છે – જે સાધુ પહેલા આંખથી પ્રદેશને જોઈને પછી રજોહરણથી પ્રમાર્જીને ભોજન વગેરે મૂકે છે કે લે છે તે ઉપકરણના લેવા-મૂકવામાં સારી પ્રવૃત્તિવાળો થાય છે એટલે કે આદાનભાંડનિક્ષેપણાસમિતિવાળો થાય છે. ગાથામાં ભાંડ શબ્દ વચ્ચે મૂક્યો છે તે પ્રાકૃતશૈલીના કારણે. (૨૯૯). હવે પાંચમી સમિતિને આશ્રયીને કહે છે – વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, શરીરનો મેલ, નાસિકાનો મેલ, વધારાના કે અશુદ્ધ આહારપાણી-ઉપકરણો, કોઈક રીતે ઉપકરણ વગેરેમાં આવી ગયેલા અનેક પ્રકારના જંતુઓ આ બધાને જીવ વિનાની – સુવિચિત-(જોયેલી-પૂજેલી) જગ્યાએ પરઠવનારો સાધુ પરઠવવામાં સારી પ્રવૃત્તિવાળો થાય છે એટલે કે પરિષ્ઠાપનાસમિતિવાળો થાય છે. અહીં સ્થાવર-સ જીવો વિનાનું એકાંતસ્થાન કહેવાની બદલે સુવિચિતસ્થાન કહ્યું તે એકાંત સ્થાનમાં પણ પોતે જોયા વિના અને રજોહરણથી પૂંજયા વિના પરઠવનારો સાધુ પરિઝાપનાસમિતિવાળો નથી એવું જણાવવા માટે. (૩૦૦)'
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy