________________
ગુરુનું માહાત્મ્ય
છ વ્રત – છ કાય – છ અકલ્પ વગેરે એ અઢાર, આચાર વગેરે આઠ અને દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત - આમ આચાર્યના છત્રીશ ગુણો થાય છે.
છ વ્રત અને છ કાય જણાયેલા છે. છ અકલ્પ વગેરે આ પ્રમાણે છે –
(૧) અકલ્પ - તે બે પ્રકારે છે -
૯૦
(i) શિક્ષકસ્થાપનાઅકલ્પ - જેણે પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્રાની એષણા ન ભણી હોય તેણે લાવેલા પિંડ વગેરે સાધુને ન કલ્પે. શેષકાળમાં અયોગ્યમુમુક્ષુઓને અને ચોમાસામાં યોગ્ય-અયોગ્ય બન્ને મુમુક્ષુઓને પ્રાયઃ દીક્ષા ન અપાય.
(ii) અકલ્પસ્થાપનાઅકલ્પ – દોષિત પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર સંબંધી અકલ્પ.
-
(૨) ગૃહસ્થભાજન - કાંસાની વાટકી વગેરે.
(૩) પલંગ – માચડા વગેરે પર બેસવું.
(૪) નિષદ્યા - ગોચરી માટે ઘરમાં પેસીને સાધુનું ત્યાં બેસવું.
(૫) સ્નાન - તે બે પ્રકારે છે -
(i) દેશસ્નાન - માત્ર આંખની પાંપણને વે તે પણ દેશસ્નાન છે.
=
(ii) સર્વસ્નાન - સંપૂર્ણ શ૨ી૨ને ધોવું.
(૬) શોભા - વિભૂષા કરવી.
આ છનું વર્જન કરવું. આમ અઢાર થયા. આ અઢાર આચાર્યના ગુણ એટલા માટે છે
કે એમના અપરાધોમાં તેઓ સારી રીતે પ્રાયશ્ચિત્તને જાણે છે.
આચારવાન વગેરે આઠ ગુણો પૂર્વે કહ્યા મુજબ જાણવા.
પ્રાયશ્ચિત્ત દસ પ્રકારે છે. તે આ પ્રમાણે
(૧) આલોચનાયોગ્ય - નજીકના ઘરમાંથી લાવેલ અતિચાર રહિત ભિક્ષા વગેરે ગુરુને બતાવવી.
(૨) પ્રતિક્રમણયોગ્ય - અનુપયોગથી પ્રમાર્ષ્યા વિનાની જગ્યાએ થૂંકવા વગેરેમાં જીવહિંસા ન થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્ આપવું.
(૩) ઉભયયોગ્ય - સંભ્રમ (ઉતાવળ), ભય વગેરેથી બધા વ્રતોના અતિચારમાં ગુરુને કહેવું અને મિચ્છામિદુક્કડમ્ આપવું.