________________
છ ૪ પ્રકારના સ્મારણા વગેરે બ
(૧) સ્મારણા ઃ
(૨) વારણા :- અનાચારથી અટકાવવું તે વારણા.
(૩) નોદના :- ફરી ભૂલ થાય તો ઠપકો આપવો તે નોદના.
(૪) પ્રતિનોદના :– વારંવાર ભૂલ કરે તો કડક શબ્દોમાં ઠપકો આપવો તે પ્રતિનોદના.
ધર્મક્રિયા ભૂલી જવા પર યાદ કરાવવું તે સ્મારણા.
છ ૪ પ્રકારના ધ્યાન ર
(A)
આર્તધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) અનિષ્ટયોગાર્ત :- ખરાબ શબ્દ વગેરે વિષયોના વિયોગનું ચિંતન અને ફરી સંયોગ ન થાય એમ વિચારવું તે અનિષ્ટયોગાર્તધ્યાન.
(૨) ઈષ્ટનાશાર્ત:- ઈષ્ટ વિષયો વગેરે અને સુખનો વિયોગ ન થાય એમ વિચારવું અને તેમના સંયોગની ઈચ્છા તે ઈષ્ટનાશાર્તધ્યાન.
-
(૩) રોગાર્ત :- શૂળ, માથુ દુઃખવું વગેરે રોગોના પ્રતિકારનું ચિંતન, તેમને દૂર કરવાનું ચિંતન અને તેમનો સંયોગ ન થાય તેમ વિચારવું તે રોગાર્તધ્યાન.
...E...
:
(૪) નિદાનાર્ત :- દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું વગેરેની ઋદ્ધિની પ્રાર્થનારૂપ નિયાણું કરવું તે નિદાનાર્તધ્યાન.
આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે છે.
(B)
રૌદ્રધ્યાન
તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) હિંસાનન્દરૌદ્ર :- ક્રૂરમનવાળાનું અંતિક્રોધપૂર્વકનું જીવોના વધ, વેધ, બંધન, ડામ દેવા, ચિહ્ન કરવા, મારવા વગેરેનું તીવ્ર ચિંતન તે હિંસાનંદરૌદ્રધ્યાન.
-
(૨) મૃષાનન્દરૌદ્ર : - બીજાને ઠગવામાં તત્પર એવા માયાવીનું ચાળી ખાવી, અવિદ્યમાનને પ્રગટ કરવું, વિદ્યમાનનો નાશ કરવો વગેરેના વચનોનું તીવ્ર પ્રણિધાન તે મૃષાનન્દરોદ્રધ્યાન.
(૩) ચૌર્યાનન્દરૌદ્ર :- તીવ્ર ક્રોધી અને તીવ્ર લોભીનું પરલોકના નુકસાનથી
૪ પ્રકારના સ્મરણા વગેરે, ૪ પ્રકારના ધ્યાન