________________
નિરપેક્ષ એવું બીજાના ધનને હરવાનું તીવ્ર ચિંતન તે ચૌર્યાનન્દરૌદ્રધ્યાન. (૪) સંરક્ષણાનન્દરૌદ્ર - બધાની શંકા કરવામાં તત્પર એવું, શબ્દ વગેરે
વિષયોના સાધનરૂપ ધનના સંરક્ષણનું તીવ્ર ચિંતન તે સંરક્ષણાનન્દરૌદ્ર.
રૌદ્રધ્યાનથી નરકગતિ મળે છે. (C) ધર્મધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) મૈત્રી - કોઈ પાપો ન કરે, કોઈ દુઃખી ન થાય, બધા જીવોની મુક્તિ
થાય એવી બુદ્ધિ તે મૈત્રી. (ર) પ્રમોદ :- દોષો વિનાના અને વસ્તુના સાચા સ્વરૂપને જોનારા એવા
ગુણવાનોના ગુણોમાં જે પક્ષપાત તે પ્રમોદ. (૩) કારુણ્ય :- દીન, પીડિત, ડરેલા, જીવન માંગનારા જીવોના દુઃખો
દૂર કરવાની બુદ્ધિ તે કારુણ્ય. માધ્યશ્ય - ક્રૂર કાર્યો કરનારા, દેવતા-ગુરુની નિષ્ફરપણે નિંદા કરનારા, પોતાની પ્રશંસા કરનારા જીવોની જે ઉપેક્ષા કરવી તે માધ્યચ્ય.
અથવા, બીજી રીતે ધર્મધ્યાનના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) આજ્ઞાવિચય:- સર્વજ્ઞોની અબાધિત આજ્ઞાને આગળ કરીને પદાર્થોના
સાચા સ્વરૂપને વિચારવો તે આજ્ઞાવિય ધર્મધ્યાન. (૨) અપાયરિચય :- રાગ-દ્વેષ-કષાયો વગેરેથી થતાં નુકસાનોને વિચારવા
તે અપાયરિચય ધર્મધ્યાન (૩) વિપાકવિચયઃ- કર્મના ફળની વિચારણા કરવી તે વિપાકવિચય ધર્મધ્યાન. (૪) સંસ્થાનવિચય :- અનાદિ અનંત અને ઉત્પત્તિ-સ્થિતિ-વ્યય સ્વરૂપ
એવા લોકની આકૃતિને વિચારવી તે સંસ્થાનવિય ધર્મધ્યાન.
અથવા, ત્રીજી રીતે ધર્મધ્યાનના ૪ પ્રકાર છે, તે આ પ્રમાણે - (૧) રૂપસ્થ - જિનેશ્વર પ્રભુના સાચા રૂપનું ધ્યાન કરવું તે રૂપસ્થ ધર્મધ્યાન. (૨) પદસ્થ :- સ્વાધ્યાયમાં, મન્ટમાં કે ગુરુદેવની સ્તુતિમાં ચિત્તની
એકાગ્રતા તે પદસ્થ ધર્મધ્યાન.
૪ પ્રકારના ધ્યાન