________________
((૩૫) પાંત્રીશમી છત્રીશી) ૩૩ ગુરુ પ્રત્યેની આશાતનાને વર્જનારા.
૩ પ્રકારના વીર્યાચારનું પાલન કરનારા. કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ગુરુ પ્રત્યેની 33 આશાતના જ (૧-૩) પુરોગમન, પુરસ્થાન, પુરોનિષાદન - ગુરુની આગળ ચાલવું,
ઊભા રહેવું, બેસવું તે. (૪-૬) પાગમન, પક્ષસ્થાન, પનિષદન:- ગુરુની બાજુમાં ચાલવું,
ઊભા રહેવું, બેસવું તે. (૭-૯) આસનગમન, આસનસ્થાન, આસનિષદન:- ગુરૂની પાછળ
નજીકમાં ચાલવું, ઊભા રહેવું, બેસવું તે. (૧૦)
આચમન :- ગુરુ સાથે સ્પંડિલભૂમિએ ગયા પછી ત્યાં ગુરુ
કરતા પહેલા પોતે શુદ્ધિ કરવી તે. (૧૧)
આલોચન :- બહારથી ઉપાશ્રયમાં પાછા આવ્યા પછી ગુરુ
કરતા પહેલા ઈરિયાવહિ કરવી તે. (૧૨-૧૩) અપતિશ્રવણ - દિવસે ગુરુ બોલાવે તો પણ જવાબ ન આપવો
તે. રાત્રે ગુરુ પૂછે, “ કોણ સૂતું છે ? કોણ જાગે છે ?'
ત્યારે પોતે જાગતો હોવા છતાં જવાબ ન આપવો તે. (૧૪) પૂર્વાલાપન :- ગૃહસ્થાદિને ગુરુએ બોલાવ્યા પહેલા પોતે
બોલાવવા તે. પૂર્વાલોચન :- ગોચરીની આલોચના ગુરુ કરતા પહેલા બીજા
પાસે કરવી તે. (૧૬) પૂર્વોપદર્શન - ગુરુ કરતા પહેલા બીજાને ગોચરી બતાવવી તે. (૧૭). પૂર્વનિમંત્રણ :- ગોચરી વાપરવા માટે ગુરુ કરતા પહેલા
બીજાને નિમંત્રણ કરવું તે. (૧૮) બદ્ધદાન - ગુરુની આજ્ઞા વિના પોતે બીજાને ગોચરી વહેંચવી તે. ૧૪ર.
ગુરુ પ્રત્યેની ૩૩ આશાતના