SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) શઠ :- વિશ્વાસ ઉપજાવવા માટે વંદન કરવું અથવા માંદગી વગેરે બહાનું કાઢી યથાવિધ વંદન ન કરવું તે. (૨૧) હીલિત :– ‘હે ગુરુજી ! આપને વાંદવાથી શું ?', એમ અવશા કરીને વંદન કરવું તે. (૨૨) વિપરિકુંચિત :- અડધી વંદના કરીને દેશાદિની કથા કરવી તે. (૨૩) દૃષ્ટાઢષ્ટ :- ઘણા સાધુઓ વંદન કરતાં હોય ત્યારે કોઈ સાધુની ઓથમાં રહીને વંદન કરવા તે, અથવા અંધારામાં ગુરુ ન દેખે ત્યારે વંદન ન કરવું, દેખે એટલે તુરંત વંદન કરવું તે. (૨૪) શૃંગ :- આવર્ત કરતી વખતે લલાટની બાજુમાં હાથનો સ્પર્શ કરવો તે. (૨૫) કર :- ‘વંદન કરવું એ ભગવાનનો કે ગુરુનો કર છે.' એમ માની વંદન કરવું, નિર્જરા માટે વંદન ન કરવું તે. (૨૬) કરમોચન :- ‘આ કર ચુકવ્યા વિના મોક્ષ નહીં થાય.’ એમ વિચારી વંદન કરવું તે. (૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ :- આવર્ત્ત વખતે રજોહરણને અને મસ્તકને હાથ સ્પર્શે નહીં તે. અહીં ૪ ભાંગા થાય રજોહરણને સ્પર્શે - મસ્તકને સ્પર્શે, રજોહરણને ન સ્પર્શે – મસ્તકને સ્પર્શે, રજોહરણને સ્પર્શે - મસ્તકને ન સ્પર્શે, - રજોહરણને ન સ્પર્શે - મસ્તકને ન સ્પર્શે. અહીં પહેલો ભાંગો શુદ્ધ છે બાકીના ભાંગામાં દોષ લાગે. (૨૮) ઊન :- વંદન કરતાં અક્ષર, પદ કે આવશ્યક ઓછા કરવા તે. (૨૯) ઉત્તરચૂડ :- વંદન કર્યા પછી જોરથી ‘મત્થએણ વંદામિ’ કહેવું તે. (૩૦) મૂક ઃ- મૂંગાની જેમ આલાવાનો ઉચ્ચાર કર્યા વિના વંદન કરવું તે. (૩૧) ૪ર :- મોટા અવાજથી ઉચ્ચાર કરતાં વંદન કરવું તે. (૩૨) ચુડલિક :- ઊંબાડીયાની જેમ ઓઘાને ભમાવતાં થકા વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરી ‘વંદન કરુ છું.' એમ કહેતાં થકા વંદનના ૩૨ દોષો ...૧૪૦...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy