________________
(૨૦) વીશમી છત્રીશી
૧૬ પ્રકારના વચનોને જાણનારા ૧૭ પ્રકારના સંયમમાં ઉદ્યમશીલ ૩ પ્રકારની વિરાધના વિનાના
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૬ પ્રકા૨ના વચનો ૨
(૧-૩) કાળત્રિક :- ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળના વચનો. દા.ત. કર્યું, કરું છું, કરીશ.
(૪-૬) વચનત્રિક :- એકવચન, દ્વિવચન, બહુવચનના વચનો. દા.ત. એક ઘોડો, બે ઘોડા, ઘણા ઘોડા.
(૭-૯) સિંગત્રિક :- સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગના વચનો. દા.ત. નદી, પર્વત, ઝરણું.
(૧૦) પરોક્ષવચન :- પરોક્ષનું વચન. દા.ત. તે દેવદત્ત. (૧૧) પ્રત્યક્ષવચન :- પ્રત્યક્ષનું વચન. દા.ત. આ દેવદત્ત. (૧૨) ઉપનીતઉપનીત વચન :- સારું અને સારું વચન. દા.ત. આ પુરુષ ઋદ્ધિવાળો અને ઉદાર છે.
(૧૩) ઉ૫નીતઅપનીતવચન :- સારું અને ખરાબ વચન. દા.ત. આ પુરુષ ઋદ્ધિવાળો છે પણ કૃપણ છે.
(૧૪) અપનીતઉપનીતવચન :- ખરાબ અને સારું વચન. દા.ત. આ પુરુષ દરિદ્ર છે પણ ઉદાર છે.
(૧૫) અપનીતઅપનીતવચન :- ખરાબ અને ખરાબ વચન. દા.ત. આ પુરુષ દરિદ્ર અને કૃપણ છે.
(૧૬) અધ્યાત્મવચન ઃ- મનમાં રહેલું કંઈ પણ બોલવા ન ઈચ્છતો અચાનક તે જ બોલી દે તે.
૦ ૧૭ પ્રકા૨નું સંયમ ૨
(૧) પૃથ્વીકાયસંયમ ઃ- પૃથ્વીકાયની હિંસાનો ત્યાગ કરવો તે. અકાયસંયમ :- અકાયની હિંસાનો ત્યાગ કરવો તે.
(ર)
૧૬ પ્રકારના વચન, ૧૭ પ્રકારનું સંયમ
...૮૯...