________________
(૬).
(૫) સ્થાપના :- સાધુ માટે ગૃહસ્થ સ્થાપીને રાખવું તે સ્થાપના.
પ્રાકૃતિકા:- સાધુ આવવાના છે અથવા જવાના છે એમ જાણીને ગૃહસ્થે પોતાની માટે પણ આહાર વગેરે પહેલા કે પછી બનાવવા
તે પ્રાકૃતિકા. (૭) પ્રાદુષ્કરણ :- અંધારામાં રહેલ વસ્તુ સાધુ માટે દીવા વગેરેથી
પ્રકાશિત કરવી કે બહાર પ્રકાશમાં લાવવી તે પ્રાદુષ્કરણ. (૮) ક્રિીત :- સાધુ માટે પોતાના કે બીજાના દ્રવ્યથી ખરીદવું તે ક્રીત. (૯) પ્રામીત્ય:- સાધુ માટે ગૃહસ્થ ઉછીનું લાવીને વહોરાવવું તે પ્રામીત્ય. (૧૦) પરાવર્તિત :- સાધુ માટે ગૃહસ્થ પરાવર્તન (વસ્તુની અદલાબદલી)
કરીને વહોરાવવું તે પરાવર્તિત. (૧૧) અભ્યાહત :- સાધુ માટે બીજા ગામમાંથી કે બીજા ઘરમાંથી સામે
લાવવું તે અભ્યાહત. (૧૨) ઉત્રિ - સીલ કરેલા બરણી વગેરેના મોઢા ખોલીને ગૃહસ્થ સાધુને
ઘી વગેરે વહોરાવવું તે ઉદ્ધિa. (૧૩) માલાપહત:- હાથેથી મુશ્કેલીથી ઉતારી શકાય એવી વસ્તુ ગૃહસ્થ
માળીયા ઉપરથી ઉતારીને સાધુને વહોરાવવી તે માલાપહત. (૧૪) આચ્છેદ્ય :- ગૃહસ્થ બીજા પાસેથી પરાણે વસ્તુ લઈને સાધુને
વહોરાવવી તે આચ્છેદ્ય. (૧૫) અનિવૃષ્ટ :- જે વસ્તુ ઘણાની હોય અને તેમાંથી બીજાઓએ ન
આપી હોય તેને એક ગૃહસ્થ વહોરાવવી તે અનિસુખ. (૧૬) અધ્યવપૂરક :- ગૃહસ્થ પોતાની માટે જેને રાંધવાની શરૂઆત કરી હોય તેમાં સાધુ માટે વધુ ઉમેરવું તે અધ્યવપૂરક.
જી ૧૬ પ્રકારના ઉત્પાદનના દોષો જ (૧) ધાત્રીદોષ :- ભિક્ષા માટે ગૃહસ્થના સંતાનોને ખોળામાં બેસાડી
રમાડવા વગેરે ધાવમાતાના કૃત્યો કરવા તે ધાત્રીદોષ. (૨) દૂતીદોષ :- ભિક્ષા માટે ગૃહસ્થનો સંદેશો એક સ્થાનથી બીજે
આજ
૮૬.
૧૬ પ્રકારના ઉત્પાદનના દોષો