SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૧ ) જીવમય સૂક્ષમ એકે દ્રિયનું શરીર કહેવાય છે. આકાશના અસંખ્ય પ્રદેશ પર એક અને ત્યાં જ બીજા અસંખ્ય ગેળા છે, દરેક ગળામાં અસંખ્યાતી નિગોદ છે, એને આશ્રીને પ્રત્યેક નિગોદમાં અનંત જીવો રહેલા છે. તેમની સ્થિતિ ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતમુહૂર્તની જ છે. એક સમયના અગ્ર ભાગ પર અસંખ્ય લોકાકાશના પ્રદેશ હોય છે એવી એની સૂક્ષમતા છે. એ નિગદના જીવે આપણા એક શ્વાસોશ્વાસ પ્રમાણ કાળમાં સાડાસત્તર ભવ કરે છે, એટલે કે અઢાર વાર જન્મે છે અને સત્તર વાર મરે છે. એનું અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર હોય છે અને તે શરીર ચર્મચક્ષુથી અદશ્ય હોય છે. આવી અસંખ્યાતી નિગોદ અનાદિ કાળથી સર્વત્ર ચૌદ રાજલોકમાં રહેલી છે. એમાં જ્યાં સુધી જીવ રહે છે ત્યાં સુધી તે અવ્યવહારરાશ કહેવાય છે. આ જીવો અતિ સૂક્ષમ હોવાથી છેદન, ભેદન વિગેરેવડે નાશ પામતા નથી. તે કેના કાર્યમાં ઉપયોગી પણ નથી. એક સૂક્ષ્મ વનસ્પતિકાય જ નિગોદ કહેવાય છે. બાકીના ચાર સૂક્ષમ છતાં એક શરીરમાં એક જ જીવવાળા હોય છે. ૨. ततो निर्गतानामपि स्थावरत्वं, सत्वं पुनर्दुलभं देहभाजाम् । त्रसत्वेऽपि पश्चाक्षपर्याप्तसंज्ञि-स्थिरायुष्यवहुर्लभ मानुषत्वम्॥३॥ અર્થ – તત) તે સૂફમનિદરૂપ અવ્યવહારરાશિમાંથી અકામનિર્જરાના વશકી (નિતાનામ) નીકળેલા એવા પણ (દિમાગ) પ્રાણીઓને (થાવરતં) બાદર સ્થાવરપણું એટલે પૃથિવ્યાદિક એકેંદ્રિયપણું પ્રાપ્ત થાય છે ( પુનઃ ) પરંતુ (કલર્જ) દ્વીંદ્રિય, ત્રૌદ્રિય અને ચતુરિંદ્રિયપણું (દુ) દુર્લભ છે. ( જs) ત્રાસપણું પ્રાપ્ત થયા છતાં પણ (પક્ષાશિરિથાણુવત્) પંચેંદ્રિયપણું પર્યાપ્તપણું અને સંક્ષિપણું
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy