SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] મબિન્દુ અપાયભીરતા હવે ગ્રન્થકાર ત્રીજા ગુણનું વિવેચન કરે છે -- દાદgવાયામ તિતિ રૂા. અર્થ–દશ્ય અથવા અદશ્ય અનેક ઉપદ્રવથી ભય પામી વર્તવું, એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. ભાવાર્થ-આ જગતમાં જે અન્યાય અથવા અધર્માચરણ થાય છે, તેમાંથી કેટલાકનાં ફળ પ્રત્યક્ષ દેખાય છે અને કેટલાકનાં ફળ અનુમાનથી જણાય છે, માટે તેવાં અનિષ્ટ પરિણામવાળાં કાર્યથી દૂર રહેવું. જો મનુષ્યના મનમાં પાપાચરણને ખરેખર ભય હાય, તો તેનાં કારણોને દૂરથી ત્યાગ કરવા તે પ્રયત્ન કરે. અન્યાયવ્યવહાર. જુગાર, પરસ્ત્રાગમન, ચોરી આ પ્રત્યક્ષ દુષ્ટ પરિણામવાળાં આચરણે છે અને જે જગતમાં પણ અનેક પ્રકારની વિટંબનાના કારણભૂત થતાં જોવાય છે. કેટલીક એવી બાબત છે કે જેમાં રાજ્ય તરફથી કોઈ પણ ભય થાય નહિ, પણ ધર્મશાસ્ત્રો તેમને મહાપાતકરૂપ માને છે. અને તેના ફળરૂપે સંસારમાં અનેક ભવ સુધી રખડવાનું બતાવે છે તેવાં કાર્યનું ફળ આપણને જણાય નહિ; છતાં ધર્મશાસ્ત્રો પર વિશ્વાસ રાખી યુક્તિપૂર્વક તેને વિચાર કરી, તેવા ફળથી ડરીને દુષ્ટ આચરણ ન કરવું તેનું નામ પણ ધર્મ છે. દષ્ટાન તરીકે મદ્યપાન માં ભજન અશુદ્ધવિચાર, લેકેનું બુરું કરવાનો સંક૯પ, મનમાં ભારે ક્રોધ, આદિ અનેક હલકા પ્રકારનાં આચરણ છે, જેમાં આ જગતમાં કઈ તરફને ભય હેતે નથી પણ તેથી કર્મના એચળ નિયમ પ્રમાણે મહાદુઃખ ભેગવવું પડે છે. માટે તેના ઉપદ્રવથી ડરીને શુદ્ધ માગે ચાલવું. અને આત્માને મલીન થવા ન દે. રાજ્યદંડના ભયથી તેમજ પરલોકના
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy