________________
૪૬૦ ]
ધર્મબન્દુ
છે અને તેથી આત્માના આરોગ્યમાં વિદન આવે છે; પણ ભાવરોગને નાશ થવાથી આત્મા પિતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરે છે, એટલે કેવળજ્ઞાની થાય છે.
હવે ભાગરેગ કયા તે જણાવે છે. रागद्वेषमोहाहिदोषास्तथातथात्मदूषणादिति ॥ ८॥
અર્થ-આત્માને દૂષિત કરવાથી રાગદ્વેષ અને મહ તે દો (ભાવગો) છે.
ભાવાર્થ-જેમ કોઈને ત્રિદોષ થાય, અને તેથી શરીરમાં અનેક પ્રકારના વિકારો પેદા થાય છે, તેવી રીતે રાગદ્વેષ અને મહિને રૂપ ત્રિદોષ છે; તે આત્માને દૂષિત કરે છે, એટલે આત્માના શુદ્ધ અધ્યવસાયને મલિન કરે છે, માટે જ તેમને દેવરૂપ અત્રે ગણવામાં આવ્યા છે. જેમાં શારીરિક રોગ શરીરને નિર્બળ કરી નાખે છે અને અસ્વસ્થ બનાવે છે, તેમ આ ભાવરોગ આત્મશક્તિને નિર્બળ બનાવે છે, અને આત્મ શક્તિ અને આનંદમાં વિક્ષેપ નાખે છે. - હવે રાગ દ્વેષ અને મેહનું સ્વરૂપ અનુક્રમે શાસ્ત્રકાર બતાવે છે. તેમાં પ્રથમ રાગની વ્યાખ્યા આપે છે.
अविषयेऽभिष्वङ्गकरणाद्राग इति ॥९॥
અર્થ - અગ્યને વિશે આસક્તિ રાખવી તે રાગ કહેવાય.
ભાવાર્થ-જે સ્વભાવથી નાશવંત છે, તેવી જડ વસ્તુઓ, તેમજ ચૈતન્યની ઉપાધિરૂપ શરીર ઉપર મમત્વભાવ રાખવો તે રાગ. આત્મા સિવાયના અન્ય સર્વ પદાર્થો ક્ષણભંગુર છે; તે ઉપાધિઓ અને પદાર્થો ગમે તેટલો સમય ટકે પણ કાળની અનન્તતાની અપેક્ષાએ તેઓને ક્ષણિક કહેવામાં જરા પણ અસત્ય નથી; માટે નાશવંત ઉપર આધાર રાખવો તે અંતે દુઃખજનક છે, માટે રાગને મમત્વ ભાવને-આસક્તિને ત્યાગ કરે.