________________
અધ્યાય-૩
[ ૨૫૩
સહવાસમાં રહેવાથી તેઓના સદ્ભિચારાનુ બળ મળે છે, અને તેથી પેાતે પણ શુદ્ધ વિચારવાળા તેમજ શુદ્ધ આચારવાળા થાય છે. तथा वात्सल्यमेतेष्वति ॥ ४१ ॥
અથ :-—સમનધમ વાળા તરફ વાત્સલ્ય દેખાડવુ. ભાવા:–પોતાના સમાન ધર્મવાળા મળે, ત્યારે હૃદયમાંથો સ્વાભાવિક પ્રેમ તેમના તરફ વહેવા જોઈએ. લેાહીના સંબંધ કરતાં ધર્મોના સંબંધ વધારે ઘટ્ટ છે. લેાહીના સ્થૂલ સબધ છે, પણ સમાન ધર્મવાળાના આધ્યાત્મિક સ`બંધ છે, માટે સાધી મળે ત્યારે પરસ્પર પ્રેમથી મળવું, અને એક ખીજની આત્મિક ઉન્નતિ કેમ ચાલે છે તેની ખબર પૂથ્વી. વળી એક બીજાને જમવા માટે કહેવુ, કોઈ રક થઈ ગયા હોય તેા તેને મદદ કરવી, કાઈ માં પડયા હાય તા રાત્રે ઉજાગરા વેઠીને પણ તેની યથાયેાગ્ય સેવા કરવી. કારણ કે સમાન વિચારવાળાના સંબંધ મરણ પછી પણ ટકે છે. પ્રવચનના સાર રૂપે કહેલું છે કેઃ
जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् । साधर्मिक वात्सल्यं भक्तिश्च तथा जिनेन्द्राणाम् ॥ १ ॥ જીવદયા, કષાયનેા નિગ્રહ, સમાનધમી ભાઈ આનુ વાત્સલ્ય અને જિનેશ્વરાની ભક્તિ આ ચાર જિનશાસનના સાર રૂપે છે.
तथा धर्मचिन्तया स्वपनमिति ॥ ४२ ॥ અઃધર્મનું ચિંતન કરતાં કરતાં સુઇ રહેવુ. ભાવાઃ:~આ બાબત બહુજ ઉપયાગી છેઃ માણસા સૌથી છેલ્લા જે વિચાર કરતાં કરતાં ઉંઘી ગયા હેાય, તે વિચાર ઉપર મન પેાતાની શક્તિ વાપરે છે. અને નિદ્રામાં નત નવા વિચાર કરવાની શક્તિ, જે યાગીએમાં હાય છે, તે નહિ હાવાથી ઘણે ભાગે રાત્રિના સમયમાં કરેલા છેલ્લા વિચાર ઉપર મન પરાવાયેલું રહે છે.