________________
૨૨૪ ]
ધર્મબિન્દુ આ પ્રમાણે અતિચાર ન લાગે તેમ ત્રીજુ વ્રત પાળવું.
હવે ચોથું વ્રત જેનું લક્ષણ પિતાની સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીના ત્યાગરૂપ છે તેના પાંચ અતિચાર છે તે શાસ્ત્ર કહે છે – परविवाहकरणेत्वरपरिगृहोताऽपरिगृहीतागमनानङ्गक्रीडातीव
વામિત્રી રતિ રહ્યા (૧) પરાયા છોકરાને વિવાહ કરી આપ. (૨) બીજાએ ભાડું આપીને રાખેલી વૈશ્યા સાથે સમાગમ
કર. (૩) પરસ્ત્રી સાથે સમાગમ કરવો. (૪) અનંગ ક્રીડા કરવી. (૫) મિથુન સેવવામાં ઘણી જ અભિલાષા રાખવી. આ પાંચ ચોથા સ્વદાર સંતોષ અણુવ્રતના અતિચાર છે.
(૧) પિતાના છોકરા સિવાય અન્યના છોકરાઓને પરણાવવા તેને ચેથા વ્રતમાં અતિચાર ગણવામાં આવ્યો છે; કન્યાદાનના ફળની ઈચ્છાથી અથવા સ્નેહ સંબંધથી બેને સંબંધ જોડી આપો તેને જૈનશાસ્ત્રકારે અતિચાર ગણે છે; અને પિતાના છોકરા પરણાવવા તેમાં પણ વ્રત ગ્રહણ કરનારા નિયમ રાખે છે.
શંકા–તમારો ઉપદેશ સત્ય લાગે છે, પણ જો પરનાં છોકરાં પરણાવવામાં દોષ હોય, તો તેજ દેષ પિતાનાં છોકરા પરણાવવામાં કેમ ન લાગે ?
સમાધાન–જે પિતાનાં છોકરાને પણ વિવાહ ન કરે, તે. કુંવારી રહેલી કન્યાઓ સ્વેચ્છાચારી થાય અને તેથી શાસનની હેલના અને નિંદા થવાનો ભય રહે છે. કારણ કે પરણેલી સ્ત્રીઓ પ્રાય સ્વેચ્છાચારી થવાનો સંભવ ઓછો છે. વળી શાસ્ત્રકાર જણાવે છે કે અમુક છોકરા પરણાવવા એ નિયમ આ વ્રતધારીએ લે.