SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] ધર્મબિન્દુ રાજાએ તરતજ આખા નગરમાં ઢંઢેરે પિટાવ્યો કે “આજની રાત્રીએ સર્વ પુરૂષાએ શહેરની બહાર નીકળી જવું. એ હુકમ સાંભળી સર્વ કેઈ પિતાપિતાની અનુકૂળતાએ રાત્રિ પડતાં પહેલાં તે નગર બહાર નીકળી ગયા, અને રાજા પણ સંધ્યાકાળે પોતાના પ્રધાન વગેરે મુખ્ય પુરૂષો સાથે શહેરથી બહાર નીકળી ઈશાન કેણમાં આવેલા મનહર બાગમાં જઈને રહ્યો. પેલા છ ભાઈએ નામું લખવામાં, અને હિસાબ ગણવામાં બહુ ગુંથાયેલ હોવાથી હમણું બહાર જઈશું, હમણાં બહાર જઈશું એમ વિચાર કરતા રહ્યા, પણ સાંજ સુધી નીકળી શક્યા નહિ અને દુકાનમાં રહી ગયા, સૂર્ય અસ્ત થયે, તેવાજ તે છોકરાઓ હિસાબથી પરવાર્યા, અને શહેર બહાર જવાની વાત સ્મરણમાં આવવાથી એકદમ ઉતાવળા ઉતાવળા ચાલવા મંડયા, અને દરવાજા આગળ આવતાજ તે દરવાજા, તેમના જીવતરની આશા સાથે બંધ થયા. તેમને જીવવાની આશા રહી નહિ, પણ પુરૂષ પ્રયત્ન કરો એમ. વિચારી કેઈ ન દેખે તેવી રીતે એક સુંદર ભોંયરામાં સંતાઈ રહ્યા અને ધારણું રાણું પણ મોટા પરિવાર સહિત સંપૂર્ણ શણગાર ધારણ કરી, રાત્રીને વિષે પોતાના અભિપ્રાય પ્રમાણે તે પુરૂષરહિત શહેરમાં ફરતી હતી. અનુક્રમે રાત્રી પસાર થઈ, અને કમળના સમૂહને ખીલવવામાં કુશળ, જગતના એક નેત્ર સમાન, સૂર્યઉઠ્યાચળ પર્વતની ટોચ ઉપર ચઢવા લાગ્યો. તે સમયે સઘળી દિશાઓ ખાખરાના પુપ સરખી રાતી દેખાવા લાગી. એ વખતે રાજાએ હુકમ કર્યો કે “જાઓ આખુ શહેર તપાસી જુઓ કે મારી આજ્ઞાને ભંગ કરી કોઈ પુરૂષ અંદર તે નથી રહ્યા છે?” બરાબર તપાસ કરતાં કરતાં, જમના ઉત જેવા કેટવાળાએ તે છ ભાઈઓને શોધી કાઢી રાજા આગળ ખડા કર્યા. તે સમયે રાજને પગથી માથા સુધી ક્રોધ વ્યાપી ગયો અને આંખની ભ્રકુટિ
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy