SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ [ ૬૭ સ્વ૯૫ ગુણને પર્વત તુલ્ય માની, પોતાના હૃદયમાં પ્રસન્ન થનારા સંત પુરૂષો આ જગતમાં વિરલા છે. આવા ઉત્તમ પુરૂષને અનુસરવાથી માણસનું મન ઉદાર થાય છે, અને તેની પ્રકૃતિ વિકારવાળી થતી નથી. માટે એવા પુરૂષોને સમાગમ કરી ઔચિત્ય શીખવા, અને શીખ્યા પછી તેનું રક્ષણ કરવા પ્રયત્ન કરે એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. હવે ભજન કેવી રીતે કરવું તે જણાવે છે. પ્રકૃતિને અનુકૂળ ભજન तथा सात्म्यतः कालभोजनमिति ॥४१॥ અર્થ : પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એવી રીતે ગ્ય કાળે, ભેજન કરવું. | ભાવાર્થ ? જે પુરૂષ પિતાની પ્રકૃતિને અનુકૂળ અને પાન લે છે તેજ સુખી થાય છે. જે અવસરે ભૂખ લાગી હેય, તે અવસરે ભોજન કરવું, તેને કાળ ભજન કહેવાય છે. પ્રકૃતિ અનુકૂળ અનપાન લેવું તેને સામ્ય જન કહેવાય છે. લૌકિક શાસ્ત્રમાં એમ કહેવું છે કે જન્મથી આરંભી સામ્યપણે ખાધેલું વિષ પણ પશ્ય થાય છે, અને અસામ્યપણે ખાધેલું પથ્ય પણ પ્રકૃતિને પ્રતિકૂળ થાય છે. માણસની પ્રકૃતિને આધાર વય, બળ, દેશ, કાળ વગેરે ઘણુ બાબત પર રહે છે. માટે આ બધાને વિચાર કરીને જે અન્નપાન લેવામાં આવે છે, તે સર્વ બરાબર પચી જઈ શરીરને મજબૂત બનાવે છે. બળવાન પુરૂષને ગમે તેવી ખાધેલી વસ્તુ પશ્ય થાય છે એમ ધારી, કાલકુટ ઝેર ન ખાવું; કારણ કે ઝેરને ઉતારનારે માણસ પણ કઈક સમય ઝેરથી મરણ પામે છે. જે માણસ
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy