SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૨ ૧૪૧૭ વડે ઉચૅક્ષિત છે, તે આના દ્વારા નિરસ્ત કરાયું પૂર્વે મહાનિશીથની ગાથા સિપાવર'Ivi ..... ઇત્યાદિથી માંડીને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સચિત પુષ્પોથી ભગવાનની પૂજા કરવામાં દોષ છે, એમ જે પૂર્વપક્ષી કહે છે તેનું નિરાકરણ કર્યું એના દ્વારા, જાતિસંકરને માનનારા પુરુષ વડે જે ઉભેક્ષિત છે તે નિરસ્ત કરાયું છે. જાતિસંકરવાળા પુરુષ વડે ઉત્મલિત નિરસ્ત કરાયું, તેમાં હેતુ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – પર્વ બ્રિદિવરિતાપતા આ રીતે=જે રીતે પૂજામાં જાતિસંકરવાળા ધમધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારે છે એ રીતે, યાગમાં પણ હિંસાથી પ્રારંભમાં અધર્મ છે, વળી વાગતા ઉત્તર અંગરૂપ દાનદક્ષિણાદિ દ્વારા અનંતર ધર્મ છે, એ પ્રમાણે કહેતા એવા તને સબ્રહ્મચારિતાનો પાત છેઃ સદશતાની પ્રાપ્તિ છે યાગીય હિંસા સદશ જિનપૂજાની પ્રાપ્તિ છે, એ રૂપ દોષ હોવાને કારણે પૂજામાં ધમધર્મરૂપ સંકર સ્વીકારી શકાય નહિ. માટે જાતિસંકરવાળાનો મત નિરસ્ત છે એમ પૂર્વ સાથે અન્વય છે. જાતિસંકરવાળા વડે કહેવાયેલ પૂજામાં ધર્માધર્મરૂપ સંકરપક્ષ અનુચિત છે તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું. ત્યાં પૂર્વપક્ષી કહે કે શાસ્ત્રમાં કૂપદષ્ટાંતથી ભગવાનની પૂજા બતાવેલ છે. તે પ્રમાણે પૂજાથી થતો અસંયમ ભગવાનની ભક્તિકાળમાં થતા શુભભાવથી શુદ્ધ થાય છે, તેવો અર્થ પ્રાપ્ત થાય છે. માટે ભગવાનની પૂજામાં અસંયમરૂપ અધર્મ છે અને તે અસંયમ શુભભાવરૂપ ધર્મથી શુદ્ધ થાય છે. તેથી ભગવાનની પૂજામાં ધર્માધર્મરૂપ સંકર સ્વીકારવો ઉચિત છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – .... ૩૫હતત્વાન્ ! અને જે તત્કાલીન અસંયમનો ત્યાગ પૂજાકાલિન અસંયમનો ત્યાગ, શુભભાવથી કહેવાયો શુભભાવથી અસંયમનો ત્યાગ થાય છે, એમ જે શાસ્ત્રમાં કહેવાયું તે પૂજાકાલિન અસંયમ, વિધિ-ભક્તિ અન્યતરના વૈપુણ્યમાં જ છે; કેમ કે અન્યથા પૂજાકાળમાં વિધિ-ભક્તિનું વૈગુણ્ય ન હોય તેવા પુષ્પાદિ જીવોની હિંસારૂપ અસંયમનો ત્યાગ શુભભાવથી થાય છે, એમ સ્વીકારવામાં આવે તો, સ્વરૂપઅસંયમનો પુષ્પાદિ જીવોની હિંસારૂપ સ્વરૂપઅસંયમનો, દ્રવ્યસ્તવથી અતિરેક હોવાને કારણે ત્યાગ કરવો અશક્ય છે અને અનુબંધઅસંયમનું ફળઅસંયમનું, અનુભવથી ઉપહાપણું છે. ભાવાર્થ : પૂર્વમાં વનસિપવત્તા થી માંડીને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ અનેક યુક્તિઓ દ્વારા ભગવાનની પૂજામાં હિંસા છે, તેવું સ્થાપન કરનાર પાશદોષાકરના કથનનું નિરાકરણ કર્યું અને સ્થાપન કર્યું કે જે રીતે પૂર્વપક્ષી કહે છે કે શ્રાવક વિવેકી છે, માટે સચિત્ત પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે નહિ, તે તેનું વચન અનુચિત છે. તેનાથી જાતિસંકરવાળાનો મત પણ નિરસ્ત થાય છે. જાતિસંકરવાળાનો મત એ છે કે ભગવાનની પૂજામાં ધર્મ-અધર્મરૂપ જાતિનું સંકર છે; અને તેમાં તે મતવાળા યુક્તિ આપે છે કે પૂજાના પ્રારંભમાં પૂજા કરનાર શ્રાવકો પુષ્પાદિનું ઉપમર્દન કરે છે, તેથી પૂજાના
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy