SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૮૧ ગાથા = " एत्तो चिय णिद्दिट्ठो पूव्वायरिएहिं भावसाहु ति । हंदि पमाणठियत्थो, तं च पमाणं इमं होइ" ।।८१ ।। ૨૩૭ ગાથાર્થ ઃ આ જ કારણથી=આનું દુષ્કરપણું હોવાને કારણે પૂર્વાચાર્યો દ્વારા “સાધુવ્યવસ્થાપક પ્રમાણ વડે સ્થિત અર્થવાળો=અવસ્થિત ગુણવાળો, ભાવસાધુ છે,” એ પ્રમાણે નિર્દિષ્ટ છે=કહેવાયેલ છે, અને તે પ્રમાણે આ વક્ષ્યમાણ છે. II૮૧ ટીકા - अत एवास्य दुरनुचरत्वात्कारणानिर्दिष्टः कथितः पूर्वाचार्यैः = भद्रबाहुप्रभृतिभिः, भावसाधुः पारमार्थिकयतिः ‘हंदि' इत्युपदर्शने प्रमाणेनैव स्थितार्थो नान्यथा, तच्च प्रमाणं साधुव्यवस्थापकमिदं भवति वक्ष्यमाणम् ।।८१ ।। ટીકાર્થ ઃ 31 ..... , વૈશ્યમામ્ ।। આ જ કારણથી=આનું=શીલાંગનું દુષ્કરપણું હોવાને કારણે, પૂર્વાચાર્યો વડે=ભદ્રબાહુસ્વામી વગેરે વડે સાધુવ્યવસ્થાપક પ્રમાણ વડે જ, સ્થિત અર્થવાળો ભાવસાધુ છે, એ પ્રમાણે નિર્દિષ્ટ છે=કહેવાયેલ છે, અન્યથા નહિ=સાધુવ્યવસ્થાપક પ્રમાણથી ગુણોમાં સ્થિત અર્થવાળો ન હોય, માત્ર સાધ્વાચારને પાળતો હોય, તેને ભાવસાધુ કહેલ નથી. અને તે=ભાવસાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણ, આ=વક્ષ્યમાણ=આગળમાં કહેવાશે તે છે. ૮૧૫ ભાવાર્થ: પૂર્વે ગાથા-૭૬થી ૮૦માં બતાવ્યું કે, સાધુપણું દુઃખે કરીને પાલન થઈ શકે તેવું છે. તેથી એ ફલિત થાય કે, સંયમ ગ્રહણ કરીને સંયમની ક્રિયાઓ કરે એટલામાત્રથી ભાવસાધુપણું આવતું નથી, પરંતુ જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદભાવથી શાસ્ત્રમાં બતાવેલ વિધિમાં યત્ન કરે, તેમને જ ભાવસાધુપણું આવે છે. આથી કરીને આચાર્ય ભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યોએ પારમાર્થિક સાધુ તેઓને જ કહેલા છે કે, જેઓ શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોમાં સ્થિતપરિણામવાળા છે, અન્ય નહિ અર્થાત્ જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી માત્ર સંયમની ક્રિયા કરે છે, તેથી સાધુ છે તેમ નથી; પરંતુ અપ્રમાદભાવથી સંયમની ક્રિયા કરે છે, માટે જ શાસ્ત્રમાં કહેલા સાધુના ગુણોમાં સ્થિત છે, તેઓ જ ભાવસાધુ છે. અને શાસ્ત્રમાં કહેલા ગુણો તેમનામાં છે, તેનો નિર્ણય અનુમાન પ્રમાણથી થાય છે, અને તે અનુમાન પ્રમાણ ગ્રંથકારશ્રી આગળ ૮૨મી ગાથામાં બતાવે છે. II૮૧
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy